Pravachan Ratnakar (Gujarati). Gatha: 2.

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 4199

 


જીવ–અજીવ અધિકાર

ગાથા–૨

तत्र तावत्समय एवामिघीयते–

जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण।
पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण
परसमयं।। २।।

પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છેઃ-

જીવ ચરિત–દર્શન–જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના
પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨

ગાથાર્થઃ– હે ભવ્ય! [जीव] જે જીવ [चरित्रदर्शनज्ञानस्थितः] દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત થઇ રહ્યો છે [तं] તેને [हि] નિશ્ચયથી [स्वसमयं] સ્વસમય [जानीहि] જાણ; [च] અને જે જીવ [पुद्गलकर्मप्रदेशस्थितं] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [तं] તેને [परसमयं] પરસમય [जानीहि] જાણ.

ટીકાઃ– ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘सम’ તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણું’ એવો છે; અને ‘अय् गतौ’ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિતછે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને