Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 553 of 4199

 

સમયસાર ગાથા-૪૪ ] [ ૩પ

અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે-આ શાસ્ત્રની ટીકા કરવાનો જે વિકલ્પ છે તે અમારો (સ્વરૂપભૂત) નથી, અમે તો તેના માત્ર જાણનાર છીએ, સ્વરૂપગુપ્ત છીએ. ટીકા તો શબ્દો વડે (પુદ્ગલોથી) રચાઈ છે. એ શબ્દો અને વિકલ્પથી ભિન્ન આત્મામાં અમે તો ગુપ્ત છીએ. શબ્દો અને વિકલ્પમાં અમારો નિવાસ નથી. જુઓ, આ સત્યનો ઢંઢેરો પીટયો છે! થોડામાં ઘણું કહ્યું છે.

અહીં કહે છે કે વસ્તુસ્વભાવ જે પૂર્ણ છે તેની સન્મુખતા કરી તેમાં ઢળતાં, એકાગ્ર થતાં તેની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? (સ્વભાવ સન્મુખતાના અભ્યાસ વડે સ્વાત્મોપલબ્ધિ અવશ્ય થાય જ.)

* કળશ ૩૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. અંતર્મુખ વળવાનો પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એમ ત્રણ કાળમાં બને નહિ. અહીં અભ્યાસનો અર્થ માત્ર વાંચવું અને સાંભળવું એમ નથી, પણ અભ્યાસ એટલે નિજ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરવાના પુરુષાર્થની વાત છે. ભાઈ, તારી શ્રદ્ધામાં તો લે કે વસ્તુ આવી જ છે. શ્રદ્ધામાં બીજું લઈશ તો આત્મા હાથ નહિ આવે, પુરુષાર્થ અંતરમાં નહિ વળે. અહો! ગજબનો કળશ મૂકયો છે!

તીક્ષ્ણ કરવત કે છીણી પડે અને બે કટકા ન થાય એમ બને જ નહિ. તેમ જેણે રાગની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરી તેને સ્વભાવ પ્રાપ્ત ન થાય એમ બને જ નહિ. જો પ્રાપ્તિ ન થાય તો એનો અર્થ એટલો જ છે કે સ્વભાવ તરફના પુરુષાર્થની ખામી છે. હા, પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય. અર્થાત્ જે સ્વરૂપમાં નથી તેની કેમેય કરીને પ્રાપ્તિ ન થાય. ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ રાગ પોતાનો ન થઈ જાય. પરંતુ જે સ્વસ્વરૂપ છે તેનું વલણ કરી તેના અનુભવનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. તેનું કાર્ય સ્વરૂપની રચના કરવાનું છે. તેથી અંતર્મુખ થઈ આત્મામાં પુરુષાર્થ કરતાં સ્વરૂપની રચના નિર્મળ થાય, થાય અને થાય જ.

આવો ઉપદેશ કઠણ પડે એટલે લોકો શુભ કરતાં કરતાં શુદ્ધ થશે એમ ખોટા પાટે ચઢી જાય છે. શુભને છોડીને અંદર (વસ્તુના તળમાં) જવું એ ધર્મ પ્રાપ્ત કરવાની નિસરણી છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-મોટે અવાજે અમે કહીએ છીએ કે સ્વરૂપ પોતાથી જ પ્રાપ્ત થાય. (રાગથી પ્રાપ્ત ન થાય, જ્ઞાનથી જ થાય.)

ભગવાન! તું છે કે નહિ? (છે). તો છે એની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? પણ ભાઈ, ‘હું છું’ એમ અનંતકાળમાં તેં કબૂલ્યું નથી. એક સમયની પર્યાય અને