Pravachan Ratnakar (Gujarati). Gatha: 45.

< Previous Page   Next Page >


PDF/HTML Page 556 of 4199

 

ગાથા–૪પ

कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्–

अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति।
जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।। ४५ ।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति।
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य।। ४५ ।।

_________________________________________________________________

હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ-

રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪પ.

ગાથાર્થઃ– [अष्टविधम् अपि च] આઠે પ્રકારનું [कर्म] કર્મ છે તે [सर्व] સર્વ [पुद्गलमयं] પુદ્ગલમય છે એમ [जिनः] જિનભગવાન સર્વજ્ઞદેવો [ब्रुवन्ति] કહે છે- [यस्य विपच्यमानस्य] જે પકવ થઈ ઉદ્રયમાં આવતા કર્મનું [फलं] ફળ [तत्] પ્રસિદ્ધ [दुःखम्] દુઃખ છે [इति उच्यते] એમ કહ્યું છે.

ટીકાઃ– અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.

ભાવાર્થઃ– કર્મનો ઉદ્રય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.