Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 583 of 4199

 

સમયસાર ગાથા-૪૯ ] [ ૬પ બોલે છે કોણ? ભાઈ! બોલે એ બીજો, બોલે એ આત્મા નહિ. આત્મા બોલવાનો ભાવ-રાગ કરે એ બીજી વાત છે, પણ આત્મા બોલે નહિ. શબ્દ છે એ તો ભાષાવર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે.

આ ધ્વનિ જે ઊઠે છે એ તો જડની (પૌદ્ગલિક) પર્યાય છે. આત્માથી તે ધ્વનિ ઊઠતી નથી. ‘ભગવાનની દિવ્યધ્વનિ’ એમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર ભગવાનનો આત્મા દિવ્યધ્વનિનો કરનારો (ર્ક્તા) નથી. દિવ્યધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂપ) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે. આ આત્માને ધર્મ કેમ થાય એની વાત ચાલે છે હોં. શબ્દ મારાથી (જીવથી) થાય એમ માનવું એ મિથ્યાત્વ છે અધર્મ છે. શબ્દ જે થાય તેને સ્વના જ્ઞાનપૂર્વક હું જાણું એવી યથાર્થ માન્યતા (નિર્વિકલ્પ પ્રતીતિ) એનું નામ ધર્મ છે.

પ્રશ્નઃ– જ્ઞાન છે તે શબ્દનો ર્ક્તા છે એમ ધવલમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવો પ્રશ્ન ‘ખાનિયા ચર્ચા’માં પણ આવ્યો છે. ભાઈ! એ તો ત્યાં નિમિત્તપણું બતાવ્યું છે. જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો ર્ક્તા નથી. શબ્દની પર્યાયકાળે જ્ઞાન તેમાં નિમિત્ત છે તેથી ઉપચારથી જ્ઞાન શબ્દનો ર્ક્તા છે એમ કહ્યું છે, ખરેખર ર્ક્તા છે નહિ. લોકાલોક છે તે કેવળજ્ઞાનમાં નિમિત્ત છે (લોકાલોકમાં શબ્દો પણ આવી ગયા), એનો અર્થ શું? કે લોકાલોક લોકાલોકથી છે અને કેવળજ્ઞાન કેવળજ્ઞાનથી છે. લોકાલોકને કારણે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. કેવળજ્ઞાનની પર્યાયનું પરિણમન (લોકાલોકથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે અને લોકાલોકની હયાતી (કેવળજ્ઞાનથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે.

કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત-વ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. શ્રી સમયસાર કળશટીકામાં કળશ ૨૭૧માં આવે છે કે-‘હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં જ્ઞેય-એમ તો નથી. તો કેમ છે?’ કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને જ્ઞેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દપર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દપર્યાય છે તે જ્ઞાયકસ્વભાવી આત્મામાં વિદ્યમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે!!

બીજો બોલઃ– પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. પહેલા બોલમાં જીવ પુદ્ગલદ્રવ્યથી ભિન્ન કહ્યો હતો અને આ