૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી’ ભગવાનનો ઉપદેશ હોય છે; તે અનક્ષરાત્મક હોય છે અને ભવ્ય જીવોને અમૃત જેવો લાગે છે. શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું છેઃ-
આ દિવ્યધ્વનિ અનુસાર ભગવાન કુંદકુંદાચાર્ય અહીં એમ કહે છે કે-એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે. એ છ દ્રવ્યમાં અનંત સિદ્ધો પણ આવી ગયા. તે એક એક સિદ્ધને કેવળજ્ઞાન વર્તે છે. એવા અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાય છે. એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. એવું દ્રવ્ય-પર્યાયનું એકસાથે મિશ્રપણે એક સમયમાં જ્ઞાન હોવા છતાં પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. ગજબ વાત છે! જેને અંતરમાં બેસે તેનું ભવ-ભ્રમણ મટયા વગર રહે નહિ એવી વાત છે.
છઠ્ઠો બોલઃ– પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. શું કહે છે? પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય-એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે. (વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે.) અહીં અનુભવે છે એનો અર્થ જાણે છે અથવા જાણવાપણે અનુભવે છે એમ થાય છે. આમ દ્રવ્ય-પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ પર્યાયના વેદન પ્રત્યે ઉદાસીન છે. ત્યાં પર્યાયના વેદનમાં ન અટક્તાં જ્યાં ધ્રુવ વસ્તુ છે ત્યાં ગુલાંટ ખાઈ જાય છે. એ વેદનની પર્યાય દ્રવ્ય ભણી નજર કરે છે, દ્રવ્ય તરફ જ વળે છે પણ પર્યાયમાં અટક્તી નથી. બહુ સૂક્ષ્મ બોલ છે!
પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એટલે કે રાગ કે નિમિત્તને લઈને અનુભવાતો નથી. વળી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે; બન્ને એકસાથે જણાઈ રહ્યા છે. અરે! લોકોને આવું આકરું લાગે એટલે કહે કે એકલી નિશ્ચયની વાત કરે છે અને વ્યવહારનો લોપ કરે છે. પણ ભાઈ! વ્યવહાર છે એ જાણવા માટે છે, આદરવા માટે નથી. તથા વ્યવહારથી નિશ્ચય પ્રગટે એવું પણ વ્યવહારનું સ્વરૂપ નથી.
પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ વ્યક્ત પર્યાયમાં ટક્તો નથી. આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં અટક્તો નથી. બસ, ઉદાસ, ઉદાસ, ઉદાસ. પર્યાયથી લક્ષ છોડીને દ્રવ્ય ભણી લક્ષ કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. દ્રવ્ય ભણી લક્ષ કરનાર પર્યાય પ્રગટ આનંદના વેદનમાં પણ