૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને રાગવાળો જીવ, પુણ્યવાળો જીવ, ભેદવાળો જીવ-એમ ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે. દ્રષ્ટાંતમાં ‘ઘીનો ઘડો’ પ્રસિદ્ધ છે એમ લીધું હતું અને સિદ્ધાંતમાં અજ્ઞાનીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે એમ કહે છે. દ્રષ્ટાંતમાં-પુરુષ ઘી વિનાના ખાલી ઘડાને જાણતો નથી એમ લીધું ત્યારે સિદ્ધાંતમાં-અજ્ઞાની શુદ્ધ જીવને જાણતો નથી એમ કહે છે. અહા! રાગ વિનાના ભગવાન આત્માને અજ્ઞાની જાણતો નથી. તેથી હવે તે અજ્ઞાનીને સમજાવવા-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા-“જે આ ‘વર્ણાદિમાન જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ કહે છે. જે ‘આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે’ એમ કહીને નિષેધ કર્યો કે જીવ રાગમય નથી. ‘આ રાગાદિમય જીવ છે તે જ્ઞાનમય છે’ એમ શા માટે કહ્યું? કારણ કે અજ્ઞાનીને રાગ વિનાનો જીવ પ્રસિદ્ધ નથી. તેથી તેને રાગથી સમજાવ્યું કે-‘આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.’ અજ્ઞાનીને અનાદિથી રાગાદિ અશુદ્ધતા જ પ્રસિદ્ધ છે. તેથી જેમ ‘ઘીનો ઘડો માટીમય છે, ઘીમય નથી,’ તેમ ‘આ રાગાદિવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગાદિમય નથી’ એમ અજ્ઞાનીને સમજાવ્યું છે. આમાં ‘રાગવાળો’ એમ કહીને વ્યવહાર દર્શાવ્યો અને ‘જ્ઞાનમય’ કહીને નિશ્ચય કહ્યો. એટલે કે જીવ નિશ્ચયથી જ્ઞાનમય જ છે અને વ્યવહારથી તેને રાગવાળો કહેવામાં આવે છે. શબ્દ તો એમ છે કે ‘રાગવાળો જીવ,’ પણ બતાવવું એમ છે કે જીવ જ્ઞાનમય જ છે. હવે જ્યાં જીવ જ્ઞાનમય જ છે ત્યાં રાગથી એને લાભ થાય એમ કયાંથી સિદ્ધ થાય? (ન જ થાય).
પ્રશ્નઃ– શુભભાવને નિશ્ચયનો સાધક કહ્યો છે ને?
ઉત્તરઃ– ભાઈ! શુભભાવને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. જો રાગ નિશ્ચયથી સાધક હોય તો આ ગાથાના કથન સાથે વિરોધ આવે. રાગવાળો આત્મા છે જ નહિ એમ અહીં કહ્યું છે. જો રાગવાળો આત્મા છે જ નહિ તો પછી રાગ આત્માને સ્વાનુભવમાં મદદ કરે એ વાત કયાંથી આવે?
પ્રશ્નઃ– પંચાસ્તિકાયમાં વ્યવહારનો શુભરાગ નિશ્ચયનો સાધક છે એમ કહ્યું છે. તમે એને માનો છો કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! અહીં તો એમ કહે છે કે રાગ છે તે નિશ્ચયથી જીવ છે જ નહિ, અને જે જીવ નથી તે જીવને લાભ કેમ કરે? (ન જ કરે). આત્મા શુદ્ધ ચૈતન્યમય ચિદાનંદ ભગવાન પ્રભુ છે. સ્વભાવના લક્ષે ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. સ્વભાવથી પ્રાપ્ત જે નિર્મળ પરિણતિ તે સાધક છે. ભાઈ! રાગને તો સહકારી જાણી નિર્મળ પરિણતિના સાધકપણાનો એમાં આરોપ આપ્યો છે. અહા! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે!
એક બાજુ કહે કે આત્માની સાથે રાગ તન્મય છે અને વળી અહીં કહે છે કે આત્મા એનાથી તન્મય નથી! આ કેવું! ભાઈ! પર્યાયની અપેક્ષાએ શુભરાગ સાથે આત્મા