Pravachan Ratnakar (Gujarati). Gatha: 68.

< Previous Page   Next Page >


PDF/HTML Page 718 of 4199

 

* ગાથા–૬૮ *

एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति–

मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा।
ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता।। ६८ ।।
मोहनकर्मण उदयात्तु वर्णितानि यानीमानि गुणस्थानानि।
तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि।। ६८ ।।

_________________________________________________________________

હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ-

મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં,
તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.

ગાથાર્થઃ– [यानि इमानि] જે આ [गुणस्थानानि] ગુણસ્થાનો છે તે [मोहनकर्मणः उदयात् तु] મોહકર્મના ઉદયથી થાય છે [वर्णितानि] એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; [तानि] તેઓ [जीवाः] જીવ [कथं] કેમ [भवन्ति] હોઈ શકે [यानि] કે જેઓ [नित्यं] સદા [सचेतनानि] અચેતન [उक्तानि] કહેવામાં આવ્યાં છે?

ટીકાઃ– આ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે-જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતન પણું સિદ્ધ થાય છે.

એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન-તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું).