૨] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
अण्णाणी ताव दु सो
जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः।। ७०।।
________________________________________________________________________ [एकः कर्ता] એક કર્તા છું અને [अमी कोपादयः] આ ક્રોધાદિ ભાવો [मे कर्म] મારાં કર્મ છે’ [इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिम्] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [अभितः शमयत्] બધી તરફથી શમાવતી (-મટાડતી) [ज्ञानज्योतिः] જ્ઞાનજ્યોતિ [स्फुरति] સ્ફુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [परम–उदात्तम्] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [अत्यन्तधीरं] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [निरुपधि–पृथग्द्रव्य–निर्भासि] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [विश्वम् साक्षात् कुर्वत्] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે.
અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ-
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
ગાથાર્થઃ– [जीवः] જીવ [यावत्] જયાં સુધી [आत्मास्रवयोः द्वयोः अपि तु] આત્મા અને આસ્રવ-એ બન્નેના [विशेषान्तरं] તફાવત અને ભેદને [न वेत्ति] જાણતો