Pravachan Ratnakar (Gujarati). Gatha: 69-70.

< Previous Page   Next Page >


PDF/HTML Page 774 of 4199

 

] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि।
अण्णाणी ताव दु सो
कोहादिसु वट्टदे जीवो।। ६९।।
कोहादिसु वट्टंतस्स तस्स
कम्मस्स संचओ होदि।
जीवस्सेवं बंधो भणिदो
खलु सव्वदरिसीहिं।। ७०।।
यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि।
अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः।। ६९।।
क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति।
जीवस्यैवं बन्धो
भणितः खलु सर्वदर्शिभिः।। ७०।।

________________________________________________________________________ [एकः कर्ता] એક કર્તા છું અને [अमी कोपादयः] આ ક્રોધાદિ ભાવો [मे कर्म] મારાં કર્મ છે’ [इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिम्] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [अभितः शमयत्] બધી તરફથી શમાવતી (-મટાડતી) [ज्ञानज्योतिः] જ્ઞાનજ્યોતિ [स्फुरति] સ્ફુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [परम–उदात्तम्] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [अत्यन्तधीरं] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [निरुपधि–पृथग्द्रव्य–निर्भासि] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [विश्वम् साक्षात् कुर्वत्] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે.

ભાવાર્થઃ– આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ

અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.

હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ-

આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી
એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.

ગાથાર્થઃ– [जीवः] જીવ [यावत्] જયાં સુધી [आत्मास्रवयोः द्वयोः अपि तु] આત્મા અને આસ્રવ-એ બન્નેના [विशेषान्तरं] તફાવત અને ભેદને [न वेत्ति] જાણતો