कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्–
णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१।।
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ કયારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
ગાથાર્થઃ– [यदा] જ્યારે [अनेन जीवेन] આ જીવ [आत्मनः] આત્માના [तथा एव च] અને [आस्रवाणां] આસ્રવોના [विशेषान्तरं] તફાવત અને ભેદને [ज्ञातं भवति] જાણે [तदा तु] ત્યારે [तस्य] તેને [बन्धः न] બંધ થતો નથી.
ટીકાઃ– આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ- ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું- પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું- પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ– ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,