कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत्–
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
ગાથાર્થઃ– [आस्रवाणाम्] આસ્રવોનું [अशुचित्वं च] અશુચિપણું અને [विपरीतभावं च] વિપરીતપણું [च] તથા [दुःखस्य कारणानि इति] તેઓ દુઃખના કારણ છે એમ [ज्ञात्वा] જાણીને [जीवः] જીવ [ततः निवृत्ति] તેમનાથી નિવૃત્તિ [करोति] કરે છે.
ટીકાઃ– જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આસ્રવો મળપણે- મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (-અપવિત્ર છે) અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (-પવિત્ર જ છે; ઉજ્જ્વળ જ છે). આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (- કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (-પોતાને અને પરને જાણે છે-) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (-તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી