૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः।
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते–
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। ४७।।
કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परपरिणतिम् उज्झत्] પરપરિણતિને છોડતું, [भेदवादान् खण्डयत्] ભેદનાં કથનોને તોડી પાડતું, [इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम्] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [उच्चैः उदितम्] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ननु] અહો! [इह] આવા જ્ઞાનમાં [कर्तृकर्मप्रवृतेः] (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [कथम् अवकाशः] અવકાશ કેમ હોઈ શકે? [वा] તથા [पौद्गलः कर्मबन्धः] પૌદ્ગલિક કર્મબંધ પણ [कथं भवति] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.)
(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘પરપરિણતિને છોડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.)
ભાવાર્થઃ– કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. ૪૭.
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? રાગથી ભિન્ન પડતાં જેને આત્માનું જ્ઞાન થયું તેને બંધ અટકી જાય છે એ કેવી રીતે છે? અહાહા! શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે જેને આત્માનું જ્ઞાન થયું, શ્રદ્ધાન થયું, એની સ્થિરતા-