Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 809 of 4199

 

સમયસાર ગાથા ૭૨] [ ૩૭

શત્રુંજયના પહાડ ઉપર પાંચ પાંડવ મુનિરાજો ધ્યાનમાં લીન હતા. તેમને દુર્યોધનના ભાણેજ દ્વારા જ્યારે પરિષહ આવી પડયો ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ એ ત્રણે વિકલ્પ તોડીને સ્વરૂપમાં ઠરી ગયા અને મોક્ષ સાધી લીધો; પરંતુ સહદેવ અને નકુળ મુનિરાજોને જરીક વિકલ્પ ઉઠયો કે-અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! લોઢાનાં ધગધગતાં ઘરેણાં પહેરાવ્યાં! અરે, એ મુનિવરોને કેમ હશે? આ વિકલ્પના ફળમાં એ બે મુનિવરોને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું. એટલું કેવળજ્ઞાન દૂર ગયું. જુઓ આ વિકલ્પનું ફળ! ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ ઉગ્ર સાધન કરીને મોક્ષપદ પામશે. અહીં કહે છે કે આવો સાધર્મી મુનિઓ પ્રત્યેનો શુભ વિકલ્પ જે ઊઠયો તે જડ, અચેતન છે. સંયોગીભાવ છે ને? એનાથી સંયોગ જ પ્રાપ્ત થયો (આત્મોપલબ્ધિ ન થઈ). એનાથી-શુભ વિકલ્પથી પુણ્યનાં જડ રજકણો બંધાયા માટે તે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.

‘અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે.’

આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે જ્ઞાનનો ઘનપિંડ છે, નિબીડ, નકોર છે. ત્રણેકાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શક્તો નથી. વિજ્ઞાનઘનસ્વભાવપણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને પણ જાણે છે. અહાહા! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે.

આવો વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે તેથી શુદ્ધ ચૈતન્યથી અનન્ય-એકરૂપ સ્વભાવવાળો છે; જ્યારે રાગાદિ વિકાર પોતે પોતાને અને પરને નહિ જાણતા એવા જડ, અચેતન હોવાથી ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે. આ પ્રમાણે ભેદજ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષે પરિણમતાં જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ જ્ઞાનમાત્રભાવે પરિણમવું એ જ બંધન અટકાવવાનો એકમાત્ર ઉપાય છે.

પ્રશ્નઃ– આમાં પચ્ચકખાણ તો આવ્યું નહિ? તો પછી બંધન કેમ અટકે?

ઉત્તરઃ– અરે ભાઈ! તને પચ્ચકખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. સમ્યક્ત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે. અજ્ઞાની બાહ્ય ત્યાગસંબંધી શુભભાવને પચ્ચકખાણ માને છે. પરંતુ