પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ-
જુઓ! ગાથામાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે; અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘનસ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવસન્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને- ‘परपरिणतिम् उज्झत्’ પરપરિણતિને છોડતું, ‘भेदवादान् खण्डयत्’ ભેદનાં કથનોને તોડી પાડતું, ‘इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम्’ આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ‘उच्चैः उदितम्’ પ્રત્યક્ષ ઉદય પામ્યું છે.
જુઓ! આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પરપરિણતિને છોડતું ઉદય પામ્યું છે. પરપરિણતિ એટલે વિકારનો-પુણ્યપાપનો ભાવ. પહેલાં જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છું-એવી દ્રષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દ્રષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન આત્મા ચિત્શક્તિરૂપ છે. પણ પુણ્ય-પાપની રુચિના કારણે ચિત્શક્તિ રોકાઈ ગઈ હતી. અરે! વિકાર-રાગ મારું કર્તવ્ય, દયા, દાન, વ્રતાદિ મારાં કાર્ય-એમ માનતાં ચિત્શક્તિ ઢંકાઈ ગઈ હતી પરંતુ અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાનશક્તિની પ્રગટતા થઈ. આમ શક્તિ જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ છે. જે જ્ઞાન પરમાં અટક્તું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે.
વળી આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદનાં કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. અહાહા...! અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતાં ભેદવાદ ખંડખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. જુઓ! આ કેવળજ્ઞાનની વાત નથી. કેવળજ્ઞાન તો પર્યાય છે. અહીં તો અખંડ જ્ઞાન પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન ચૈતન્યસામાન્ય એકસદ્રશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે એની વાત છે. અહાહા! મતિ-શ્રુતજ્ઞાન આદિ જે ખંડખંડરૂપ ભેદો હતા તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એભદની દ્રષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. અહા! ઓછા ઉઘાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા