સમયસાર ગાથા ૭૬ ] [ ૧૧૯
સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.
જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી. જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-
‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે પુદ્ગલપરિણામને કરે છે.’
જુઓ! શિષ્યનો એમ પ્રશ્ન છે કે પુદ્ગલપરિણામરૂપ કર્મને એટલે કે રાગાદિને જાણતાં જ્ઞાનીને તેની સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? જેવો રાગ થાય, જે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે એટલો સંબંધ છે, પણ આત્માને તેની સાથે કર્તાકર્મપણું છે કે નથી? તો કહે છે કે ના; પુદ્ગલનું-રાગાદિનું કર્તાકર્મપણું પુદ્ગલમાં છે. જે જે રાગાદિ અવસ્થા થાય તે તે જ્ઞાની જાણે પણ તેની સાથે જ્ઞાનીને કર્તાકર્મભાવ નથી. પુદ્ગલપરિણામરૂપકર્મ સાથે પુદ્ગલને કર્તાકર્મપણું છે.
એક સમયની અવસ્થાના ત્રણ પ્રકાર-પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય. એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે રાગસ્વરૂપ જે કર્તાનું કાર્ય છે તેમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતું, રાગરૂપે પરિણમતું, રાગરૂપે