ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च–
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं।। ८३।।
તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છેઃ-
ગાથાર્થઃ– [निश्चयनयस्य] નિશ્ચયનયનો [एवम्] એમ મત છે કે [आत्मा] આત્મા [आत्मानम् एव हि] પોતાને જ [करोति] કરે છે [तु पुनः] અને વળી [आत्मा] આત્મા [तं च एव आत्मानम्] પોતાને જ [वेदयते] ભોગવે છે એમ હે શિષ્ય! તું [जानीहि] જાણ.
ટીકાઃ– જેમ ૧ઉત્તરંગ અને ૨નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો ૧સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને ________________________________________________________________________
૧. ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું. ૨. નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું. ૩. સંભવ = થવું તે; ઉત્પતિ.