સમયસાર ગાથા ૮૩ ] [ ૧૮૩
ભોક્તા આત્મા છે, પણ તરનો ભોક્તા નથી. અજ્ઞાની પણ શરીર આદિ પરને ભોગવતો નથી. આ લાડુ, લાપસી, મૈસુબ ઈત્યાદિ ખાતી વખતે જીવ પોતાના રાગને ભોગવે છે પણ એ ચીજને (લાડુ વગેરેને) ભોગવતો નથી. આ ભેદજ્ઞાનની અંતરની વાત છે, ભાઈ! આવો અંતરમા નિર્ણય કદી કર્યો નહિ અને વિકાર કર્મથી થાય અને કર્મ માર્ગ આપે તો સમકિત આદિ નિર્વિકારી દશા થાય એમ તે માન્યું છે પણ એ બધી બધી જૂઠી માન્યતા છે.
કહે છે-ભાવ્યભાવકભાનો અભાવ હોવાથી પરનો આત્મા ભોક્તા નથી. ભાવ્ય એટલે ભોગવવા લાયક અને ભાવક એટલે ભોગવનાર. જડ કર્મ ભોગવવા લાયક અને આત્મા એનો ભોગવનાર-એવા ભાવનો અભાવ છે. આત્મ ભાવક અને કર્મનો ઉદય અને શરીરની અવસ્થા ભોગવવા યોગ્ય-એવા ભાવનો અભાવ છે. શરીરની બિમારી કે રોગની અવસ્થાને આત્માને ભોગવે છે એમ છે જ નહિ. તે સમયે જે રાગ છે તે રાગનો મિથ્યાદ્રષ્ટિ જીવ કર્તા અને ભોક્તા છે. જુઓ, નરકમાં ઉષ્ણતા એટલી છે કે એ ઉષ્ણતાનો એક કણ અહીં આવે તો દશ યોજનમાં રહેલાં મનુષ્યનાં મરણ થઈ જાય. આવી ઉષ્ણતાનો ભોક્તા આત્મા નથી કેમકે ઉષ્ણતા પરદ્રવ્યની પર્યાય છે. અહાહા...! એ ઉષ્ણતાના નિમિત્તે દશ જોજનમાં સ્થિત મનુષ્યના દેહ ભસ્મ થઈ જાય પણ એ દેહની ભસ્મ થવાની જે ક્રિયા થઈ તે દેહથી પોતાથી થઈ છે, અગ્નિ આવી માટે તે ક્રિયા થઈ છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ!
અરે! લોકોએ સ્થૂળ એવા વ્યવહાર અને નિમિત્તને પ્રધાન માનીને આત્માની સ્વતંત્રતા ખોઈ નાખી છે. અહીં કહે છે-ભાવ્યભાવકભાવના અભાવને કારણે પરભાવ વડે પરભાવનો અનુભવ થયો અશકય છે. જીવ પોતે કરેલા રાગભાવનો અનુભવ કરે છે પણ તે રાગદ્વારા નિમિત્તનો પણ અનુભવ કરે છે એમ નથી. પરભાવ એટલે શરીર કર્મ વગેરેનો આત્મા વડે અનુભવ થાય એ અશકય છે. કર્મનો અનુભાગ એમ જડની પર્યાય છે, તે આત્માને ભોગવવો પડે છે એ વાત યથાર્થ નથી.
પ્રશ્નઃ– કર્મનો વિપાક જીવ અનેભવને એમ ગોમ્મટસારમાં આવે છે ને?
ઉત્તરઃ–
જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે. પણ એ તો નિમિત્તનું કથન છે. પરદ્રવ્ જીવના જ્ઞાનને રોકે એમ છે નહિ. પોતાની જ્ઞાનપર્યાયમાં પોતે હીણપણે પરિણમે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નિમિત્ત છે, બસ. નિમિત્તે જ્ઞાન હીણ કર્યું છે એમ નથી. તથા નિમિત્તને આત્મા ભોગવે છે એમ નથી. આત્મા સમયસારની પર્યાયનો સ્વતંત્ર કર્તા થઈને પોતાની પર્યાયને ભોગવે છે.
જુઓ, ભોગના કાળમાં સ્ત્રીના શરીરને જીવ ભોગવે છે એમ કહો તો એ જૂઠી