Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 954 of 4199

 

૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

હવે કહે છે-‘અને વળી તેવી રીતે આજ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.’

જીવ સંસારદશામાં પોતાના વિકારને ભોગવે છે પણ પરને ભોગવતો નથી. આ શરીરીની અવસ્થાને કે કર્મને આત્મા ભોગવતો નથી. તે પોતાના વિકારી પરિણામને ભોગવે કે પોતાના નિર્વિકારી પરિણમને ભોગવે પણ પરને તે ભોગવતો નથી. જીવ રાગદ્વેષનો જેમ સ્વતંત્ર કતાૃ છે તેમ સ્વતંત્ર ભોક્તા છે. જડ કર્મનો ઉદય એમાં નિમિત્ત ભલે હો, પણ તે પરને-કર્મને ભોગવે છે એમ નથી. અને જે કર્મનો ઉદય છે તે વિકારનો ભોક્તા છે એમ પણ નથી.

પ્રશ્નઃ– આ તો એકાંત થયું!

ઉત્તરઃ– હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય તેને જ અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. નિમિત્તનો સદ્ભાવ હો કે અભાવ હો, જીવ સ્વયંસિદ્ધ વિકાર કરે છે અને વિકારને ભોગવે છે. આમ સમ્યક્ એકાંતનું જ્ઞાન થયું તો જોડે નિમિત્ત છે એનું જ્ઞાન થયું તે એકાંત છે. બીજી ચીજથી ત્યાં વિકાર થાય છે એમ નથી. બીજી ચીજ વિકાર ભોગવે છે એમ પણ નથી. સંસારયુક્ત અને સંસારરહિત પોતાની દશાને એકને જ કરતો અને એકને જ ભોગવતો પ્રતિભાસો એમ અહીં કહ્યું છે.

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા થાય છે, પણ ત્યાં કર્મનો ઉદયના અભાવનો જીવ કર્તા છે એમનથી. તેમ પોતાની નિઃસંસાર અવસ્થાને જીવ ભોગવે છે તે સમયે કર્મના અભાવને પણ ભોગવે છે એમ નથી. અરે ભાઈ! અનાદિ કાળથી જષીવે પોતાની સ્વતંત્ર ચીજ તરફ દ્રષ્ટિ કરી નથી. સૂક્ષ્મપણે વિચારીએ તો અસંસાર અવસ્થામાં એટલે સાધકની મોક્ષમાર્ગની દશામાં આ વ્યવહારનો વિકલ્પ જે નિમિત્તપણે સહચર છે તેનો કર્તા (કે ભોક્તા) જીવ નથી અને એ વ્યવહારનો વિકલ્પ આત્માની નિર્મળ પર્યાયનો કર્તા નથી.

વર્તમાનમાં મોટી ગરબડ ચાલે છે. મોટો ભાગ એમ માને છે કે નિમિત્તથી (કર્મથી) થાય અને નિમિત્તને ભોગવે પણ એમ છે નહિ. વિકારથી અવસ્થા પોતાના સ્વકાળે પોતાથી થાય છે. તેનો જીવ કર્તા અને ભોક્તા પોતે પોતાથી સ્વતંત્ર છે. એ જ પ્રમાણે મોક્ષમાર્ગની પર્યાયને સ્વાશ્રયપૂર્વક પોતે સ્વતંત્રપણે કરે છે તેથી એનો કર્તા અને ભોક્તા જીવ પોતે પોતાથી સ્વતંત્ર છે. આત્મા ચૈતન્યમૂર્તિ ત્રિકાળ આનંદસ્વરૂપ ભગવાન છે. એની દ્રષ્ટિ અને રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તેનો