Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 984 of 4199

 

૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

રાગ ચાહે શુભ હોય તોપણ તે આગ છે. માટે સમતારૂપી અમૃતનું સેવન કરો. જન્મ- મરણના અંતનો ઉપાય કોઈ અલૌકિક છે. બાપુ! કોઈને દુઃખ લાગે તો લાગે, પણ માર્ગ આ જ છે. દરેક વાત બધાને સારી લાગે એમ કેવી રીતે બને? મોક્ષમાર્ગપ્રકાશકના પાંચમા અધિકારમાં કહ્યું છે કે-“એવો તો કોઈ ઉપદેશ નથી કે જે વડે સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઊપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝઘડો કરતાં થાય; પણ અમે લડીએ નહિ તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને તો અમારા પરિણામોનું જ ફળ થશે. મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે તો તેમાં એમ શું કરીએ?”

અષ્ટપાહુડની ૨૩મી ગાથા ભાવાર્થમાં કહ્યું છે કે-શ્વેતાંબર આદિ વસ્ત્રધારકને પણ મોક્ષ થવાનું કહે છે તે મિથ્યા છે, તે જિનમત નથી. અરે ભાઈ! એક મિથ્યાત્વના પરિણામ છૂટી બીજા મિથ્યાત્વના પરિણામ થયા તે ક્રિયા છે. તે ક્રિયા પરિણમનસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ પરિણામી આત્માથી ભિન્ન નથી. મિથ્યાત્વના પરિણામને પણ આત્મા કરે છે, દર્શનમોહકર્મ નહિ. અહીં તો પરિણામને પરથી ભિન્ન સિદ્ધ કરવાની વાત છે. પરિણામથી પરિણામી ભિન્ન છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિની વાત અહીં સિદ્ધ કરવી છે. અહા! પોતાના પરિણામની ક્રિયા પણ આત્મા કરે અને પરની ક્રિયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. દયાના રાગની ક્રિયા પણ કરે અને પરની દયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત સાંભળનારા પણ વિરલ હોય છે યોગસારમાં આવે છે કે-

“વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.”

સંયોગદ્રષ્ટિવાળાને લાગે કે અગ્નિ આવી તો પાણી ગરમ થયું. વેલણ ફર્યું તો રોટલી ગોળ થઈ. પણ સ્વભાવથી જુએ તો એનો ભ્રમ મટી જાય. જુઓ આટાની પર્યાય બદલીને રોટલી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી અભિન્ન છે અને પરિણામ પરિણામી આટાથી અભિન્ન છે. એમાં વેલણે શું કર્યું? કાંઈ નહિ. વેલણમાં પણ કરવાની ક્રિયા પોતામાં થઈ તે પોતાના પરિણામસ્વરૂપ છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ (વેલણના) પરમાણુઓથી ભિન્ન નથી. તો બીજી ચીજે એમાં શું કર્યું? કાંઈ નહિ; ફક્ત બીજી ચીજ એમાં સહચરપણે નિમિત્ત છે બસ એટલું.

માટે એમ સિદ્ધ થયું કે ‘જે કોઈ ક્રિયા છે તે બધીય ક્રિયાવાનથી (દ્રવ્યથી) ભિન્ન નથી.’ અજ્ઞાનીને એમ લાગે છે કે પહેલી અવસ્થા બદલીને બીજી થઈ તે પરથી