Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 128 of 513
PDF/HTML Page 159 of 544

 

૧૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
तृष्णाभिर्दुःखबीजतयाऽत्यन्तदुःखिताः सन्तो मृगतृष्णाभ्य इवाम्भांसि विषयेभ्यः सौख्यान्य-
भिलषन्ति
तद्दुःखसंतापवेगमसहमाना अनुभवन्ति च विषयान्, जलायुका इव, तावद्यावत्
क्षयं यान्ति यथा हि जलायुकास्तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा
दुष्टकीलालमभिलषन्त्यस्तदेवानुभवन्त्यश्चाप्रलयात् क्लिश्यन्ते, एवममी अपि पुण्यशालिनः
पापशालिन इव तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा विषयान-
भिलषन्तस्तानेवानुभवन्तश्चाप्रलयात्
क्लिश्यन्ते अतः पुण्यानि सुखाभासस्य दुःखस्यैव
साधनानि स्युः ।।७५।।
सुखाद्विलक्षणानि विषयसुखानि इच्छन्ति न केवलमिच्छन्ति, न केवलमिच्छन्ति, अणुभवंति य अनुभवन्ति च किंपर्यन्तम्
आमरणं मरणपर्यन्तम् कथंभूताः दुक्खसंतत्ता दुःखसंतप्ता इति अयमत्रार्थःयथा तृष्णोद्रेकेण
દુઃખનું બીજ હોવાને લીધે પુણ્યજનિત તૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખી વર્તતા થકા,
મૃગતૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખોને ઇચ્છે છે અને તે દુઃખસંતાપના વેગને
નહિ સહી શકવાથી વિષયોને ભોગવે છે. ક્યાં સુધી? વિનાશ (મરણ) પામે ત્યાં સુધી.
કોની જેમ? જળોની જેમ. જેમ જળો, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર
વડે ક્રમશઃ આક્રાંત થતી હોવાથી, ખરાબ લોહીને ઇચ્છતી અને તેને જ ભોગવતી થકી
વિનાશપર્યંત ક્લેશ પામે છે, તેમ આ પુણ્યશાળીઓ પણ, પાપશાળીઓની માફક, તૃષ્ણા જેનું
બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશઃ આક્રાંત થતા હોવાથી, વિષયોને ઇચ્છતા
અને તેમને જ ભોગવતા થકા વિનાશપર્યંત (
મરણ પામતાં સુધી) ક્લેશ પામે છે.
આથી પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ સાધન છે.

ભાવાર્થઃજેમને સમસ્તવિકલ્પજાળ રહિત પરમસમાધિથી ઉત્પન્ન સુખામૃતરૂપ, સર્વ આત્મપ્રદેશે પરમ -આહ્લાદભૂત સ્વરૂપતૃપ્તિ વર્તતી નથી એવા સમસ્ત સંસારી જીવોને નિરંતર વિષયતૃષ્ણા વ્યક્ત કે અવ્યક્તપણે વર્તે જ છે. તે તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુરરૂપ થઈ દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામતાં, એ રીતે દુઃખદાહનો વેગ અસહ્ય થતાં, તે જીવો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. માટે જેમને વિષયોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત સંસારીઓ દુઃખી જ છે.

આ રીતે દુઃખભાવ જ પુણ્યોનેપુણ્યજનિત સામગ્રીનેઅવલંબતો હોવાથી, પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ આલંબનસાધન છે. ૭૫. ૧. જેમ ઝાંઝવાંમાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇન્દ્રિયવિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. ૨. દુઃખસંતાપ = દુઃખદાહ; દુઃખની બળતરાપીડા.