गुणपर्यायाश्च, तथा सर्वद्रव्येषु स्वभावद्रव्यपर्यायाः स्वजातीयविजातीयविभावद्रव्यपर्यायाश्च, तथैव
स्वभावविभावगुणपर्यायाश्च ‘जेसिं अत्थि सहाओ’ इत्यादिगाथायां, तथैव ‘भावा जीवादीया’ इत्यादि-
गाथायां च पञ्चास्तिकाये पूर्वं कथितक्रमेण यथासंभवं ज्ञातव्याः । पज्जयमूढा हि परसमया यस्मादित्थंभूत-
થકા પરસમય થાય છે.
ભાવાર્થઃ — પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છેઃ (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છેઃ (૧) સમાનજાતીય — જેમ કે દ્વિ -અણુક, ત્રિ -અણુક વગેરે સ્કંધ; (૨) અસમાન- જાતીય — જેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છેઃ (૧) સ્વભાવપર્યાય — જેમ કે સિદ્ધના ગુણપર્યાયો; (૨) વિભાવપર્યાય — જેમ કે સ્વપરહેતુક મતિજ્ઞાનપર્યાય.
આવું જિનેંદ્રભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય -ગુણ -પર્યાયસ્વરૂપ જ યથાર્થ છે. જે જીવો દ્રવ્ય -ગુણને નહિ જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે તેઓ નિજ સ્વભાવને નહિ જાણતા થકા પરસમય છે. ૯૩.
હવે *આનુષંગિક એવી આ જ સ્વસમય -પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય અને પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છેઃ —
અન્વયાર્થઃ — [ये जीवाः] જે જીવો [पर्यायेषु निरताः] પર્યાયોમાં લીન છે [परसमयिकाः इति निर्दिष्टाः] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [आत्मस्वभावे स्थिताः] જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે [ते] તે [स्वकसमयाः ज्ञातव्याः] સ્વસમય જાણવા. *આનુષંગિક = પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી