सम्यक्त्वमिथ्यात्वपर्यायद्वये परस्परसापेक्षमुत्पादादित्रयं दर्शितं तथा सर्वद्रव्यपर्यायेषु द्रष्टव्य-
ભાવોનો સંહાર જ ન થાય (અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ
પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો સત્નો
ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય (અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ
થાય એ દોષ આવે).
વળી ૧કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો સહિત સ્થિતિનો — અન્વયનો — તેને અભાવ થવાને લીધે, સ્થિતિ જ ન થાય; અથવા તો ક્ષણિકનું જ નિત્યપણુંથાય. ત્યાં, (૧) જો મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય (અર્થાત્ જો માટી ધ્રુવ ન રહે — ન ટકે, તો માટીની જેમ વિશ્વનું કોઈ પણ દ્રવ્ય ધ્રુવ જન રહે — ટકે જ નહિ એ દોષ આવે); અથવા (૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તનાક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય (અર્થાત્ મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બનેએ દોષ આવે).
માટે દ્રવ્યને ૨ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથેઅને અન્વયના ૩અવસ્થાન સાથે અવિનાભાવવાળું, જેને નિર્વિઘ્ન (અબાધિત) ત્રિલક્ષણ-પણારૂપ ૪લાંછન પ્રકાશમાન છે એવું, અવશ્ય સંમત કરવું. ૧૦૦.૧. કેવળ સ્થિતિ = (ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન.
[અન્વય વ્યતિરેકો સહિત જ હોય છે તેથી ધ્રૌવ્ય ઉત્પાદવ્યયસહિત જ હોય, એકલું હોઈ શકે નહિ. જેમ ઉત્પાદ (અથવા વ્યય) દ્રવ્યનો અંશ છે – સમગ્ર દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ
છે – સમગ્ર દ્રવ્ય નથી.]૨. ઉત્તર ઉત્તર = પછી પછીના ૩. અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે. ૪.લાંછન = ચિહ્ન