Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 197 of 513
PDF/HTML Page 228 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૯૭
मेवोत्पादादयः, कुतः क्षणभेदः तथाहियथा कुलालदण्डचक्रचीवरारोप्यमाणसंस्कारसन्निधौ
य एव वर्धमानस्य जन्मक्षणः स एव मृत्पिण्डस्य नाशक्षणः स एव च कोटिद्वयाधि-
रूढस्य मृत्तिकात्वस्य स्थितिक्षणः, तथा अन्तरङ्गबहिरङ्गसाधनारोप्यमाणसंस्कारसन्निधौ य
एवोत्तरपर्यायस्य जन्मक्षणः स एव प्राक्तनपर्यायस्य नाशक्षणः स एव च कोटिद्वयाधिरूढस्य
द्रव्यत्वस्य स्थितिक्षणः
यथा च वर्धमानमृत्पिण्डमृत्तिकात्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि
त्रिस्वभावस्पर्शिन्यां मृत्तिकायां सामस्त्येनैकसमय एवावलोक्यन्ते, तथा उत्तरप्राक्तन-
रूपपर्यायेण स्थितिरित्युक्तलक्षणसंज्ञित्वोत्पादव्ययध्रौव्यैः सह तर्हि किं बौद्धमतवद्भिन्नभिन्नसमये त्रयं
भविष्यति नैवम् एक्कम्मि चेव समये अङ्गुलिद्रव्यस्य वक्रपर्यायवत्संसारिजीवस्य मरणकाले ऋजुगतिवत्
क्षीणकषायचरमसमये केवलज्ञानोत्पत्तिवदयोगिचरमसमये मोक्षवच्चेत्येकस्मिन्समय एव तम्हा दव्वं खु
तत्तिदयं यस्मात्पूर्वोक्तप्रकारेणैकसमये भङ्गत्रयेण परिणमति तस्मात्संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशा-
नामभेदात्त्रयमपि खु स्फु टं द्रव्यं भवति यथेदं चारित्राचारित्रपर्यायद्वये भङ्गत्रयमभेदेन दर्शितं तथा

(હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છેઃ) એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણભેદ હૃદયભૂમિમાં તો જ ઊતરે, ‘જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત રહે છે (-ટકે છે) અને પોતે જ નાશ પામે છે’ એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી. પર્યાયોનાં જ ઉત્પાદાદિક છે (એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે); ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય? (ન જ હોય.) તે સમજાવવામાં આવે છેઃ

જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે રામપાત્રની જન્મક્ષણ હોય છે, તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે; તેમ અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે, તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.

વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક છૂટાંછૂટાં) વર્તતાં હોવા છતાં ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે (બધાંય ભેગાં) એક સમયમાં જ જોવામાં આવે છે; તેમ ઉત્તર પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં અને દ્રવ્યપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક) વર્તતાં હોવા ૧. કોટિ = પ્રકાર. (માટીપણું તો પિંડરૂપ પ્રકારમાં તેમ જ રામપાત્રરૂપ પ્રકારમાંબન્ને પ્રકારમાં

રહેલું છે.)