Pravachansar (Gujarati). Gatha: 104.

< Previous Page   Next Page >


Page 200 of 513
PDF/HTML Page 231 of 544

 

૨૦૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याण्येकद्रव्यपर्यायद्वारेण चिन्तयति
परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिट्ठं
तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।।१०४।।
परिणमति स्वयं द्रव्यं गुणतश्च गुणान्तरं सदविशिष्टम्
तस्माद्गुणपर्याया भणिताः पुनः द्रव्यमेवेति ।।१०४।।

एकद्रव्यपर्याया हि गुणपर्यायाः, गुणपर्यायाणामेकद्रव्यत्वात् एकद्रव्यत्वं हि तेषां सहकारफलवत् यथा किल सहकारफलं स्वयमेव हरितभावात् पाण्डुभावं परिणम- त्पूर्वोत्तरप्रवृत्तहरितापाण्डुभावाभ्यामनुभूतात्मसत्ताकं हरितपाण्डुभावाभ्यां सममविशिष्टसत्ताक- विनाशो नास्ति, ततः कारणाद्द्रव्यपर्याया अपि द्रव्यलक्षणं भवन्तीत्यभिप्रायः ।।१०३।। अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याणि गुणपर्यायमुख्यत्वेन प्रतिपादयतिपरिणमदि सयं दव्वं परिणमति स्वयं स्वयमेवोपादानकारणभूतं जीवद्रव्यं कर्तृ कं परिणमति गुणदो य गुणंतरं निरुपरागस्वसंवेदनज्ञान-

હવે દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને.૧૦૪.

અન્વયાર્થઃ[सदविशिष्टं] સત્તા -અપેક્ષાએ અવિશિષ્ટપણે, [द्रव्यं स्वयं] દ્રવ્ય પોતે [गुणतः च गुणान्तरं] ગુણમાંથી ગુણાંતરે [परिणमति] પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટઅભિન્નએક જ રહે છે), [तस्मात् पुनः] તેથી વળી [गुणपर्यायाः] ગુણપર્યાયો [द्रव्यम् एव इति भणिताः] દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.

ટીકાઃગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે, કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે (અર્થાત્ ગુણપર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છેભિન્ન ભિન્ન દ્રવ્યો નથી). તેમનું એક દ્રવ્યપણું આમ્રફળની માફક છે. (તે આ પ્રમાણેઃ) જેમ આમ્રફળ પોતે જ હરિતભાવમાંથી પીતભાવે પરિણમતું થકું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા હરિતભાવ અને પીતભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને ૧. હરિતભાવ = લીલો ભાવ; લીલી અવસ્થા; લીલાપણું. ૨. પીતભાવ = પીળો ભાવ; પીળી દશા; પીળાપણું. (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે, પછી

પીળી થાય છે.)