सर्वद्रव्याणां स्वकीयस्वकीयस्वरूपास्तित्वगुणेन सह ज्ञातव्यमित्यर्थः ।।१०६।। अथातद्भावं विशेषेण विस्तार्य कथयति — सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो सद्द्रव्यं संश्च गुणः संश्चैव पर्याय इति सत्तागुणस्य द्रव्यगुणपर्यायेषु विस्तारः । तथाहि — यथा मुक्ताफलहारे सत्तागुण- કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘તે’-પણે જણાતું નથી તે (સર્વથા) એક કેમ હોય? નથી જ; પરંતુ ગુણ -ગુણીરૂપે અનેક જ છે એમ અર્થ છે.
ભાવાર્થઃ — ભિન્નપ્રદેશત્વ તે પૃથક્પણાનું લક્ષણ છે અને અતદ્ભાવ તે અન્ય- પણાનું લક્ષણ છે. દ્રવ્યને અન ગુણને પૃથક્પણું નથી છતાં અન્યપણું છે.
અને તેના સફેદપણાના પ્રદેશો જુદા નથી તેથી તેમને પૃથક્પણું તો નથી. આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી, અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત્) વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ; પણ એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથક્પણું હોવા છતાં અન્યપણું છે એમ સિદ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથક્ત્વ હોવા છતાં અન્યત્વ છે; કારણ કે દ્રવ્યના અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞા – સંખ્યા – લક્ષણાદિ ભેદ હોવાથી (કથંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.