Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 208 of 513
PDF/HTML Page 239 of 544

 

૨૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
सद्द्रव्यं संश्च गुणः संश्चैव च पर्याय इति विस्तारः
यः खलु तस्याभावः स तदभावोऽतद्भावः ।।१०७।।

यथा खल्वेकं मुक्ताफलस्रग्दाम हार इति सूत्रमिति मुक्ताफलमिति त्रेधा विस्तार्यते, तथैकं द्रव्यं द्रव्यमिति गुण इति पर्याय इति त्रेधा विस्तार्यते यथा चैकस्य मुक्ताफलस्रग्दाम्नः शुक्लो गुणः शुक्लो हारः शुक्लं सूत्रं शुक्लं मुक्ताफलमिति त्रेधा विस्तार्यते, तथैकस्य द्रव्यस्य सत्तागुणः सद्द्रव्यं सद्गुणः सत्पर्याय इति त्रेधा विस्तार्यते यथा चैकस्मिन् मुक्ताफलस्रग्दाम्नि यः शुक्लो गुणः स न हारो न सूत्रं न मुक्ताफलं यश्च हारः सूत्रं मुक्ताफलं वा स न शुक्लो गुण इतीतरेतरस्य यस्तस्याभावः स तदभाव- लक्षणोऽतद्भावोऽन्यत्वनिबन्धनभूतः, तथैकस्मिन् द्रव्ये यः सत्तागुणस्तन्न द्रव्यं नान्यो गुणो स्थानीयो योऽसौ शुक्लगुणः स प्रदेशाभेदेन किं किं भण्यते शुक्लो हार इति शुक्लं सूत्रमिति शुक्लं मुक्ताफलमिति भण्यते, यश्च हारः सूत्रं मुक्ताफलं वा तैस्त्रिभिः प्रदेशाभेदेन शुक्लो गुणो भण्यत इति तद्भावस्य लक्षणमिदम् तद्भावस्येति कोऽर्थः हारसूत्रमुक्ताफलानां शुक्लगुणेन सह तन्मयत्वं प्रदेशाभिन्नत्वमिति तथा मुक्तात्मपदार्थे योऽसौ शुद्धसत्तागुणः स प्रदेशाभेदेन किं किं भण्यते सत्तालक्षणः परमात्मपदार्थ इति सत्तालक्षणः केवलज्ञानादिगुण इति सत्तालक्षणः सिद्धपर्याय

અન્વયાર્થઃ[सत् द्रव्यं] ‘સત્ દ્રવ્ય’ [सत् च गुणः] ‘સત્ ગુણ’ [च] અને [सत् च एव पर्यायः] ‘સત્ પર્યાય’ [इति] એમ [विस्तारः] (સત્તાગુણનો) વિસ્તાર છે. [यः खलु] (તેમને પરસ્પર) જે [तस्य अभावः] ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે -પણે હોવાનો અભાવ’ છે [सः] તે [तदभावः] ‘તદ્ -અભાવ’ [अतद्भावः] એટલે કે ‘અતદ્ભાવ’ છે.

ટીકાઃજેમ એક *મૌક્તિકમાળા, ‘હાર’ તરીકે, ‘દોરા’ તરીકે, અને ‘મોતી’ તરીકેએમ ત્રિધા (ત્રણ પ્રકારે) વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્ય, ‘દ્રવ્ય’ તરીકે, ‘ગુણ’ તરીકે અને ‘પર્યાય’ તરીકેએમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.

વળી જેમ એક મૌક્તિકમાળાનો શુક્લત્વગુણ, ‘શુક્લ હાર,’ ‘શુક્લ દોરો’ અને ‘શુક્લ મોતી’એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, ‘સત્ દ્રવ્ય’, ‘સત્ ગુણ’ અને ‘સત્ પર્યાય’એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.

વળી જેવી રીતે એક મૌક્તિકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર નથી, દોરો નથી કે મોતી નથી, અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ નથીએમ એકબીજાને જે ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે -પણે હોવાનો અભાવ’ છે તે ‘તદ્ -અભાવ’ લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે (અતદ્ભાવ) અન્યત્વનું કારણ છે; તેવી રીતે એક દ્રવ્યમાં *મૌક્તિકમાળા = મોતીની માળા; મોતીનો હાર.