शुक्लमित्यक्षरद्वयेन हारो वाच्यो न भवति सूत्रं वा मुक्ताफलं वा, हारसूत्रमुक्ताफलशब्दैश्च शुक्लगुणो वाच्यो न भवति । एवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य पूर्वोक्त लक्षण-
तद्भावस्याभावस्तदभावो भण्यते । स च तदभावः पुनरपि किं भण्यते । अतद्भावः संज्ञा-
लक्षणप्रयोजनादिभेद इति । तथा मुक्तजीवे योऽसौ शुद्धसत्तागुणस्तद्वाचकेन सत्ताशब्देन मुक्तजीवो
જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી, અન્ય ગુણ નથી કે પર્યાય નથી, અને જે દ્રવ્ય, ૧અન્ય
ગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથી — એમ એકબીજાને જે ‘તેનો અભાવ’ અર્થાત્
‘તે -પણે હોવાનો અભાવ છે’ તે ૨‘તદ્અભાવ’લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે અન્યત્વનું
કારણ છે.
ભાવાર્થઃ — એક આત્માને વિસ્તારકથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’તરીકે અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે — એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણેસર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માના હયાતીગુણને ‘હયાત આત્મદ્રવ્ય,’ ‘હયાત જ્ઞાનાદિગુણ’ અને‘હયાત સિદ્ધત્વાદિપર્યાય’ — એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યોવિષે સમજવું.
વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી, (હયાતીગુણ સિવાયનો)જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે કે સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતીગુણ નથી — એમ પરસ્પર તેમને અતદ્ભાવછે કે જે અતદ્ભાવને લીધે તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.૧. અન્ય ગુણ = સત્તા સિવાયનો બીજો કોઈ પણ ગુણ ૨. તદ્ -અભાવ = તેનો અભાવ. [ तद् -अभावः ===== तस्य अभावः।]
[તદ્ -અભાવ અતદ્ભાવનું લક્ષણ (અથવા સ્વરૂપ) છે. અતદ્ભાવ અન્યત્વનું કારણ છે.]પ્ર. ૨૭