वाच्यो न भवति केवलज्ञानादिगुणो वा सिद्धपर्यायो वा, मुक्तजीवकेवलज्ञानादिगुणसिद्धपर्यायशब्दैश्च शुद्धसत्तागुणो वाच्यो न भवति । इत्येवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य पूर्वोक्तलक्षणतद्भावस्याभावस्तदभावो भण्यते । स च तदभावः पुनरपि किं भण्यते । अतद्भावः संज्ञा- लक्षणप्रयोजनादिभेद इत्यर्थः । यथात्र शुद्धात्मनि शुद्धसत्तागुणेन सहाभेदः स्थापितस्तथा यथासंभवं सर्वद्रव्येषु ज्ञातव्य इत्यभिप्रायः ।।१०७।। अथ गुणगुणिनोः प्रदेशभेदनिषेधेन तमेव संज्ञादि- भेदरूपमतद्भावं दृढयति — जं दव्वं तं ण गुणो यद्द्रव्यं स न गुणः, यन्मुक्तजीवद्रव्यं स शुद्धः सन् गुणो न भवति । मुक्तजीवद्रव्यशब्देन शुद्धसत्तागुणो वाच्यो न भवतीत्यर्थः । जो वि गुणो सो ण तच्चमत्थादो
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો. (અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ યોગ્ય રીતે સમજવું. જેમ કેઃ — સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને ‘પુરુષાર્થી આત્મદ્રવ્ય,’ ‘પુરુષાર્થી જ્ઞાનાદિગુણ’ અને ‘પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’ — એમ વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં સંજ્ઞા – લક્ષણ – પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં અન્યત્વનું કારણ છે.) ૧૦૭.
– આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને.૧૦૮.
અન્વયાર્થઃ — [अर्थात्] સ્વરૂપ -અપેક્ષાએ [यद् द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः] તે ગુણ નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી; — [एषः हि अतद्भावः] આ અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી; [इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.