कृतवान् पश्चाज्जिनदीक्षां गृहीत्वा स एवेदानीं रामादिकेवलिपुरुषो निश्चयरत्नत्रयात्मकपरमात्मध्याने-
પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે ૧વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને ૨સદ્ભાવસંબદ્ધ
જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ. તે આ પ્રમાણેઃ જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે —
બાજુબંધ વગેરે પર્યાયો નહિ, ત્યારે સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે — દ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનુંલક્ષણ છે એવી, ક્રમે પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા૧. વ્યતિરેકવ્યક્તિઓ = ભેદરૂપ પ્રગટતાઓ. [વ્યતિરેકવ્યક્તિઓ ઉત્પત્તિવિનાશ પામે છે, ક્રમે પ્રવર્તે છે
અને પર્યાયોને નિપજાવે છે. શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન વગેરે તથા સ્વરૂપાચરણચારિત્ર, યથાખ્યાતચારિત્ર વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેકવ્યક્તિઓ છે. વ્યતિરેક તથા અન્વયના અર્થો માટે ૧૯૦ તથા ૧૯૧મા પાનાનું પદટિપ્પણ (ફૂટનોટ) જુઓ.]૨. સદ્ભાવસંબદ્ધ = હયાતી સાથે સંબંધવાળો – સંકળાયેલો. [દ્રવ્યની વિવક્ષા વખતે, અન્વયશક્તિઓને
મુખ્ય અને વ્યતિરેકવ્યક્તિઓને ગૌણ કરાતી હોવાથી દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ ઉત્પાદ (સત્ -ઉત્પાદ, હયાતનો ઉત્પાદ) છે.]પ્ર. ૨૮