यत्खलु द्रव्यं यस्मिन्काले येन भावेन परिणमति तत् तस्मिन् काले किलौष्ण्य- परिणतायःपिण्डवत्तन्मयं भवति । ततोऽयमात्मा धर्मेण परिणतो धर्म एव भवतीति सिद्धमात्मनश्चारित्रत्वम् ।।८।।
ટીકાઃ — ખરેખર જે દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે દ્રવ્ય તે કાળે, ઉષ્ણતારૂપે પરિણમેલા લોખંડના ગોળાની જેમ, તે -મય છે; તેથી આ આત્મા ધર્મે પરિણમ્યો થકો ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃ — ચારિત્ર આત્માનો જ ભાવ છે એમ ૭મી ગાથામાં કહ્યું હતું. આ ગાથામાં અભેદનયે એમ કહ્યું કે જેમ ઉષ્ણતાભાવે પરિણમેલો લોખંડનો ગોળો તે પોતે જ ઉષ્ણતા છે — લોખંડનો ગોળો ને ઉષ્ણતા જુદાં નથી, તેમ ચારિત્રભાવે પરિણમેલો આત્મા પોતે જ ચારિત્ર છે. ૮.
હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું (અર્થાત્ જીવ જ શુભ, અશુભ અને શુદ્ધ છે એમ) નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [जीवः] જીવ, [परिणामस्वभावः] પરિણામસ્વભાવી હોવાથી, [यदा] જ્યારે [शुभेन वा अशुभेन] શુભ કે અશુભ ભાવે [परिणमति] પરિણમે છે [शुभः अशुभः] ત્યારે શુભ કે અશુભ (પોતે જ) થાય છે [शुद्धेन] અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે [तदा शुद्धः हि भवति] ત્યારે શુદ્ધ થાય છે.