या किलानुकम्पापूर्विका परोपकारलक्षणा प्रवृत्तिः सा खल्वनेकान्तमैत्रीपवित्रितचित्तेषु परोपकारे, तथापि शुभोपयोगिभिर्धर्मोपकारः कर्तव्य इत्युपदिशति — कुव्वदु करोतु । स कः कर्ता । शुभोपयोगी पुरुषः । कं करोतु । अणुकं पयोवयारं अनुकम्पासहितोपकारं दयासहितं धर्मवात्सल्यम् । यदि किम् । लेवो जदि वि अप्पो ‘‘सावद्यलेशो बहुपुण्यराशौ’’ इति दृष्टान्तेन यद्यप्यल्पलेपः स्तोकसावद्यं भवति । केषां करोतु । जोण्हाणं निश्चयव्यवहारमोक्षमार्गपरिणतजैनानाम् । कथम् । णिरवेक्खं निरपेक्षं
ભાવાર્થઃ — જે શ્રમણ છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થધર્મમાં પ્રવેશે છે; તેથી શ્રમણે વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી સંયમની વિરાધના ન થાય.
અહીં એટલું વિશેષ સમજવું કે — જે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવદ્યને ઇચ્છતો નથી તેને તો વૈયાવૃત્ત્યાદિકમાં પણ સાવદ્યને ન ઇચ્છવું તે શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવદ્યને ઇચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય વૈયાવૃત્ત્યાદિ ધર્મકાર્યમાં સાવદ્યને ઇચ્છતો નથી તેને તો સમ્યક્ત્વ જ નથી. ૨૫૦.
હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગીએ કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે દર્શાવે છે)ઃ —
અન્વયાર્થઃ — [यद्यपि अल्पः लेपः] અલ્પ લેપ થતો હોવા છતાં પણ [साकारा- नाकारचर्यायुक्तानाम्] સાકાર -અનાકાર ચર્યાયુક્ત [जैनानां] જૈનોને [अनुक म्पया] અનુકંપાથી [निरपेक्षं] નિરપેક્ષપણે [उपकारं करोतु] (શુભોપયોગી) ઉપકાર કરો.
ટીકાઃ — જે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જોકે અલ્પ લેપ તો થાય છે, તોપણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે એવા શુદ્ધ જૈનો પ્રત્યે —