Pravachansar (Gujarati). Gatha: 38.

< Previous Page   Next Page >


Page 65 of 513
PDF/HTML Page 96 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૬૫
अथासद्भूतपर्यायाणां कथंचित्सद्भूतत्वं विदधाति
जे णेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया
ते होंति असब्भूदा पज्जाया णाणपच्चक्खा ।।३८।।
ये नैव हि संजाता ये खलु नष्टा भूत्वा पर्यायाः
ते भवन्ति असद्भूताः पर्याया ज्ञानप्रत्यक्षाः ।।३८।।
शुद्धजीवद्रव्यादिद्रव्यजातीनामिति व्यवहितसंबन्धः कस्मात् विसेसदो स्वकीयस्वकीयप्रदेश-
कालाकारविशेषैः संकरव्यतिकरपरिहारेणेत्यर्थः किंच ---यथा छद्मस्थपुरुषस्यातीतानागतपर्याया मनसि
चिन्तयतः प्रतिस्फु रन्ति, यथा च चित्रभित्तौ बाहुबलिभरतादिव्यतिक्रान्तरूपाणि श्रेणिकतीर्थकरादि-
भाविरूपाणि च वर्तमानानीव प्रत्यक्षेण दृश्यन्ते तथा चित्रभित्तिस्थानीयकेवलज्ञाने भूतभाविनश्च पर्याया

युगपत्प्रत्यक्षेण दृश्यन्ते, नास्ति विरोधः
यथायं केवली भगवान् परद्रव्यपर्यायान् परिच्छित्तिमात्रेण

ભાવાર્થઃકેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોને યુગપદ્ જાણે છે. અહીં પ્રશ્ન થવાયોગ્ય છે કે નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને જ્ઞાન વર્તમાન કાળે કેમ જાણી શકે? તેનું સમાધાનઃજગતમાં પણ દેખાય છે કે અલ્પજ્ઞ જીવનું જ્ઞાન પણ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓને ચિંતવી શકે છે, અનુમાન દ્વારા જાણી શકે છે, તદાકાર થઈ શકે છે; તો પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને કેમ ન જાણી શકે? ચિત્રપટની માફક જ્ઞાનશક્તિ જ એવી છે કે તે અતીત અને અનાગત પર્યાયોને પણ જાણી શકે છે. વળી, આલેખ્યત્વશક્તિની માફક, દ્રવ્યોની જ્ઞેયત્વશક્તિ એવી છે કે તેમના અતીત અને અનાગત પર્યાયો પણ જ્ઞાનમાં જ્ઞેયરૂપ થાયજણાય. આ રીતે આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. ૩૭.

હવે અવિદ્યમાન પર્યાયોનું (પણ) કથંચિત્ (કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ) વિદ્યમાનપણું કહે છેઃ

જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે,
તે સૌ અસદ્ભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.

અન્વયાર્થઃ[ये पर्यायाः] જે પર્યાયો [हि] ખરેખર [न एव संजाताः] ઉત્પન્ન થયા નથી, તથા [ये] જે પર્યાયો [खलु] ખરેખર [भूत्वा नष्टाः] ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, [ते] તે [असद्भूताः पर्यायाः] અવિદ્યમાન પર્યાયો [ज्ञानप्रत्यक्षाः भवन्ति] જ્ઞાનપ્રત્યક્ષ છે. પ્ર. ૯