ધ્રૌવ્યનો ક્ષણભેદ (નિરસ્ત કરીને) એમાં સમયભેદ નથી. એક દ્રવ્યમાં (જે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય છે,
તે એકસમયમાં છે. ક્ષણભેદ નથી. જે સમય ઉત્પાદથાય, તે જ સમય પૂર્વનો વ્યય થાય, ધ્રૌવ્યપણે તો
(ટકે છે.)
સમજાવે છે.” ત્રણેય થઈને દ્રવ્ય છે. આ દ્રવ્ય પ્રમાણનું છે. ત્રિકાળી દ્રવ્ય જે સમ્યગ્દર્શનનો આશ્રય છે ઈ
નયનું દ્રવ્ય છે. અને આ દ્રવ્ય છે ઈ પ્રમાણનું દ્રવ્ય છે. આમ આખી યે વસ્તુ છે ધ્રુવ! એ પણ આમાં
ખ્યાલમાં આવે, અને ઉત્પાદ-વ્યય ખ્યાલમાં આવે. બેયનું જ્ઞાન થાય એ પ્રમાણ, પણ જેવું વસ્તુનું
સ્વરૂપ છે તેવું જ્ઞાન જો ન કરે, વિરુદ્ધ (જ્ઞાન) કરે તો મિથ્યાદ્રષ્ટિ થાય. ઈ (ગાથા) અઠાણુમાં કહેવાણું
છે. આહા... હા! આગમમાં જે રીતે, વસ્તુની મર્યાદા કહી છે ને જાણવી છે એ રીતે જો ન માને તો
પરસમય છે. મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! એથી કહે છે.
જૈન છીએ. પણ શું જૈન કહે છે? એ તત્ત્વની (કાંઈ ખબર ન મળે!) અહીંયાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની
(વાતથી) શરૂ કર્યું. દરેક પદાર્થને દરેક સમયે અવસરે, જે પર્યાય થાય તે ઉત્પાદ છે, અને તે ક્ષણે
પૂર્વની પર્યાયનો વ્યય થાય, અને તે જ ક્ષણે ધ્રૌવ્યપણે રહે - ઇ પર્યાયના ત્રણ ભેદ છે. અહીં શિષ્ય
શંકા કરશે પછી.
છે. અને અહીં જન્મે છે. સમય એક છે. આહા... હા! જે સમયે દેહ છૂટયો એની પોતાની પર્યાયની
યોગ્યતાથી દેહ છૂટયો છે એ વ્યય થઈને બીજે ઊપજે-જન્મે તે સમય એક છે.
કેવળજ્ઞાન ને પૂર્ણાંનંદ! જતાં આમ રસ્તામાં ન્યાં (સિદ્ધાલયમાં જતાં) એક સમય છે. આહા... હા! એ
ઉત્પાદનો એ સમય છે ને (એ સમયે જા સંસારનો વ્યય છે.) સિદ્ધપણાનો ઉત્પાદ છે ને સંસારની
પર્યાયનો વ્યય છે અને ધ્રુવ તો છે જ.