Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 187.

< Previous Page   Next Page >


Page 144 of 186
PDF/HTML Page 156 of 198

 

૧૪૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [इत्वरिकयोः] વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે [गमने] જવું. લેણદેણાદિનો વ્યવહાર રાખવો. [एते ब्रह्मव्रतस्य] એ બ્રહ્મચર્યવ્રતના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘स्मरतीव्राभिनिवेशः अनङ्गक्रीडा अन्यपरिणयनकरणं इत्वरिकयोः अपरिगृहीता गमनं च इत्वरिका परिगृहिता गमनं च इति पञ्च अतीचाराः ब्रह्मचर्याणुव्रतस्य सन्ति।’ અર્થઃ– ૧. કામ–ભોગ–વિષય સેવન કરવાની બહુ લાલસા રાખવી, ૨. જે અંગ વિષય સેવન કરવાના નથી તેવાં મુખ, નાભિ, સ્તન વગેરે અનંગોમાં રમણ કરવું, ૩. બીજાના પુત્ર–પુત્રીઓના વિવાહ કરાવવા, ૪. વ્યભિચારિણી વેશ્યા તથા કન્યા વગેરે સાથે લેણદેણ આદિ વ્યવહાર રાખે, વાર્તા કરે, રૂપ–શૃંગાર દેખે, પ–વ્યભિચારિણી બીજાની સ્ત્રી સાથે પણ એ પ્રમાણે કરવું–એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૬.

પરિગ્રહપરિણામ વ્રતના પાંચ અતિચાર

वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्।
कुप्यस्य भेदयोरपि परिमाणातिक्रियाः
पञ्च।। १८७।।

અન્વયાર્થઃ– [वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्] ઘર, ભૂમિ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી અને [कुप्यस्य] સુવર્ણાદિ ધાતુઓ સિવાય વસ્ત્રાદિના [भेदयोः] બબ્બે ભેદોનાં [अपि] પણ [परिमाणातिक्रियाः] પરિમાણનું ઉલ્લંઘન કરવું–[एते अपरिग्रहव्रतस्य] એ અપરિગ્રહવ્રતના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘वास्तु क्षेत्र परिमाणातिक्रमः, अष्टापदहिरण्यपरिमाणातिक्रमः, धनधान्य– परिमाणातिक्रमः, दासदासीपरिमाणातिक्रमः, अपि कुप्यस्य भेदयोः परिमाणातिक्रमः इति पंच परिग्रहपरिमाणव्रतस्य अतीचाराः सन्ति।’ અર્થ–૧–ઘર અને ક્ષેત્રનું પરિમાણ વધારી દેવું, ૨– સોના–ચાંદીનું પરિમાણ વધારી દેવું, ૩–ગાય, ભેંસ, ઘોડા, ઘઉં, ચણા વગેરેનું પરિમાણ વધારી દેવું, ૪–દાસ–દાસીનું પરિમાણ વધારી દેવું, પ–કૃપ્ય એટલે ગરમ અને સુતરાઉ–એ બન્ને પ્રકારનાં વસ્ત્રોનું પરિમાણ વધારી દેવું; –એ રીતે આ પાંચ પરિગ્રહપરિમાણવ્રતના અતિચાર છે.૧૮૭. _________________________________________________________________ ૧. રત્નકરંડ શ્રાવકાચાર ગા ૬૦ માં ઇત્વરિકાગમનનો અર્થ–‘ઇત્વરિકા જે વ્યભિચારિણી સ્ત્રી તેને ઘરે

જવું અથવા તેને પોતાના ઘેર બોલાવી (ધનાદિ) લેણદેણ રાખે, પરસ્પર વાર્તા કરે, શ્રૃંગાર દેખે તે
ઇત્વરિકાગમન નામે અતિચાર છે.