Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 185-186.

< Previous Page   Next Page >


Page 143 of 186
PDF/HTML Page 155 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૪૩ એને ન્યાસઅપહાર કહે છે. જૂઠી રસીદો લખી આપવી અથવા પરાણે લખાવી લેવી કૂટલેખ છે. ૧૮૪.

અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર

प्रतिरूपव्यवहारः स्तेननियोगस्तदाहृतादानम्।
राजविरोधातिक्रमहीनाधिकमानकरणे च।। १८५।।

અન્વયાર્થઃ– [प्रतिरूपव्यवहारः] પ્રતિરૂપ વ્યવહાર એટલે સાચી વસ્તુમાં ખોટી વસ્તુ ભેળવીને વેચવી, [स्तेननियोगः] ચોરી કરનારાઓને મદદ કરવી, [तदाहृतादानम्] ચોરે લાવેલી વસ્તુઓ રાખવી, [च] અને [राजविरोधातिक्रमहीनाधिकमानकरणे] રાજાએ પ્રચલિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવું, માપવાના કે તોળવાના ગજ, કાંટા, તોલા વગેરેના માપમાં હીનાધિક કરવું–(एते पञ्चास्तेयव्रतस्य) એ પાંચ અચૌર્યવ્રતના અતિચાર છે.

ટીકાઃ– ‘प्रतिरूपव्यवहारः स्तेननियोगः तदाहृतादानम् राजविरोधातिक्रमः च हीनाधिकमानकरणे इति अचौर्याणुव्रतस्य पञ्च अतीचाराः सन्ति।’ અર્થઃ–૧. જૂઠી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી, એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે, ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તેનપ્રયોગ અતિચાર છે, ૩. ચોરીની વસ્તુ ખરીદવી એ ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે. પ. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવવી, માપવા–તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાંવત્તાં રાખવાં એ પાંચમો અતિચાર છે. –આ પાંચ અચૌર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮પ.

બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર બતાવે છેઃ–

स्मरतीव्राभिनिवेशोऽनङ्गक्रीडान्यपरिणयनकरणम्।
अपरिगृहीतेतरयोर्गमने चेत्वरिकयोः
पञ्च।। १८६।।

અન્વયાર્થઃ– [स्मरतीव्राभिनिवेशः] કામસેવનની અતિશય ઇચ્છા રાખવી, [अनङ्गक्रीडा] યોગ્ય અંગો સિવાય બીજાં અંગો સાથે કામક્રીડા કરવી, [अन्यपरिणयनकरणम्] બીજાના વિવાહ કરવા [च] અને [अपरिगृहीतेतरयोः] કુંવારી કે પરણેલી