૭૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘हि धर्मः देवताभ्यः प्रभवति’– નિશ્ચયથી ધર્મ ઊપજે છે તે દેવોથી ઊપજે છે, ‘इह ताभ्यः सर्वं प्रदेयम्’– આ લોકમાં તે દેવોના નિમિત્તે બધું આપવું જોઈએ. જીવોને પણ મારીને તેમને ચડાવો. ‘इति दुर्विवेककलितां धिषणां प्राप्य देहिनः न हिंस्याः’– એવી અવિવેકવાળી બુદ્ધિથી પ્રાણીને મારવા નહિ.
ભાવાર્થઃ– દેવ, દેવી, ક્ષેત્રપાળ, કાલી, મહાકાલી, ચંડી, ચામુંડા ઈત્યાદિને અર્થે હિંસા ન કરવી. પરજીવને મારવાથી પોતાનું ભલું કેવી રીતે થાય? બિલકુલ ન થાય. ૮૦.
इति संप्रधार्य कार्यं नातिथये सत्त्वसंज्ञपनम्।। ८१।।
અન્વયાર્થઃ– [पूज्यनिमित्तं] ‘પૂજવા યોગ્ય પુરુષોને માટે [छागादीनां] બકરા વગેરે જીવોનો [घाते] ઘાત કરવામાં [कः अपि] કોઈ પણ [दोषः] દોષ [नास्ति] નથી’ [इति] એમ [संप्रधार्य] વિચારીને [अतिथये] અતિથિ અથવા શિષ્ટ પુરુષોને માટે [सत्त्वसंज्ञपनम्] જીવોનો ઘાત [न कार्यम्] કરવો ન જોઈએ.
ટીકાઃ– ‘पूज्यनिमित्तं छागादीनां घाते कोऽपि दोषः न अस्ति’– પોતાના ગુરુ માટે બકરાદિ જીવોના ઘાતમાં કાંઈ દોષ નથી, ‘इति सम्प्रधार्य अतिथये सत्त्वसंज्ञपनम् न कार्यम्’– એમ વિચારીને અતિથિ (ફકીરાદિ ગુરુ) માટે જીવોનો ઘાત ન કરવો.
ભાવાર્થઃ– પાપી, વિષયલંપટી અને જીભના લાલચુ એવા પોતાને અને બીજા જીવોને નરકમાં લઈ જવાને તૈયાર થનાર એવા કુગુરુના નિમિત્તે પણ હિંસા કરવી યોગ્ય નથી. હિંસાથી તેનો અને પોતાનો મોક્ષ કેવી રીતે થશે? મતલબ કે થતો નથી. ૮૧.
इत्याकलय्य कार्यं न महासत्त्वस्य हिंसनं जातु।। ८२।।
અન્વયાર્થઃ– [बहुसत्त्वघातजनितात्] ‘ઘણા પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન થયેલ [अशनात्] ભોજન કરતાં [एकसत्त्वघातोत्थम्] એક જીવના ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન [वरम्] સારું છે’ [इति] એમ [आकलय्य] વિચારીને [जातु] કદીપણ [महासत्त्वस्य] મોટા ત્રસ જીવનો [हिंसनं] ઘાત [न कार्यम्] કરવો ન જોઈએ.