Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 83-84.

< Previous Page   Next Page >


Page 73 of 186
PDF/HTML Page 85 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૭૩

ટીકાઃ– ‘बहुसत्त्वघातजनितात् अशनात् एक सत्त्वघातोत्थम् वरम्’– ઘણા જીવોના નાશથી ઉત્પન્ન થયેલા ભોજન કરતાં એક જીવને મારવાથી ઊપજેલું ભોજન ઉત્કૃષ્ટ છે ‘इति आकलय्य जातु महासत्त्वस्य हिंसनं न कार्यम्’– એમ વિચારીને કદીપણ મોટા જીવની હિંસા ન કરવી.

ભાવાર્થઃ– કોઈ કહે છે કે અન્નના આહારમાં ઘણા જીવો મરે છે માટે એક મોટો જીવ મારીને ભોજન કરીએ તો ઘણું સારું– એમ માની પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. ત્યાં હિંસા તો પ્રાણઘાતથી છે. એકન્દ્રિય કરતાં પંચેન્દ્રિયના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ઘણા–વધારે હોય છે. માટે જ એવો ઉપદેશ છે કે ઘણા એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય જીવને મારવાનું અનેકગણું પાપ છે તો પંચેન્દ્રિયને મારવાથી કેમ ઘણું પાપ ન થાય? વળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવને મારવામાં તો માંસનો આહાર થાય છે. તેના દોષ આગળ કહ્યા જ છે. માટે આ પ્રમાણે શ્રદ્ધાન કરવું. ૮૨.

रक्षा भवति बहूनामेकस्यैवास्य जीवहरणेन।
इति मत्वा कर्त्तव्यं न हिंसनं हिस्त्रसत्त्वानाम्।। ८३।।

અન્વયાર્થઃ– [अस्य] ‘આ [एकस्य एव] એક જ [जीवहरणेन] જીવનો ઘાત કરવાથી [बहूनाम्] ઘણા જીવોની [रक्षा भवति] રક્ષા થાય છે’ [इति मत्वा] એમ માનીને [हिंस्त्रसत्त्वानाम्] હિંસક જીવોની પણ [हिंसनं] હિંંસા [न कर्त्तव्यम्] ન કરવી જોઈએ.

ટીકાઃ– ‘अस्य एकस्य एव जीवहरणेन बहूनाम् रक्षा भवति’– આનો એક જ જીવ મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે ‘इति मत्वा हिंस्त्र सत्त्वानां हिंसनं न कार्यम्’– એમ જાણીને હિંસક જીવનો પણ ઘાત ન કરવો.

ભાવાર્થઃ– સાપ, વીંછી, નાહર, સિંહ ઈત્યાદિ બીજા જીવોને મારનારહિંસક જીવોને મારવાથી ઘણા જીવ બચે છે માટે એને મારવામાં પાપ નથી–એવું શ્રદ્ધાન ન કરવું, કેમકે એને તો એના કાર્યનું પાપ લાગે છે. લોકમાં અનેક જીવો પાપ–પુણ્ય ઉપજાવે છે, તેમાં આને શું? તે હિંસક જીવો હિંસા કરે છે તો તેમને પાપ લાગશે. પોતે તેમની હિંસા કરીને શા માટે પાપ ઉપજાવે? ૮૩.

बहुसत्त्वघातिनोऽमी जीवन्त उपार्जयन्ति गुरु पापम्।
इत्यनुकम्पां कृत्वा न हिंसनीयाः शरीरिणो हिंस्त्राः।। ८४।।