૭૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [बहुसत्त्वघातिनः] ‘ઘણા જીવના ઘાતક [अमी] આ જીવો [जीवन्तः] જીવતા રહેશે તો [गुरु पापम्] ઘણું પાપ [उपार्जयन्ति] ઉપાર્જન કરશે’ [इति] એ પ્રકારની [अनुकम्पां कृत्वा] દયા લાવીને [हिंस्त्राः शरीरिणः] હિંસક જીવોને [न हिंसनीयाः] મારવા ન જોઈએ.
ટીકાઃ– बहुसत्त्वघातिनः अमी जीवन्तः गुरु पापं उपार्जयन्ति’– ઘણાં જીવોને મારનારા આ પાપી જીવતા રહે તો ઘણાં પાપ ઉપજાવશે એમ ‘इति अनुकम्पां कृत्वा हिंस्त्राः शरीरिणः न हिंसनीयाः’– દયા કરીને હિંસક જીવોને ન મારવા.
ભાવાર્થઃ– બાજ, સમળી વગેરે જે જે હિંસક છે તે જીવતા રહે તો ઘણાં પાપ કરશે અને ઘણાં જીવોને મારશે માટે એને મારવા–એવું શ્રદ્ધાન ન કરવું. તેમની હિંસાનું પાપ તેમને છે, પોતાને શું? બને તો તે પાપક્રિયા છોડાવી દેવી. ૮૪.
इति वासनाकृपाणीमादाय न दुःखिनोऽपि हन्तव्याः।। ८५।।
અન્વયાર્થઃ– [तु] અને [बहुदुःखासंज्ञपिताः] ‘અનેક દુઃખોથી પીડિત જીવ [अचिरेण] થોડા જ સમયમાં [दुःखविच्छित्तिम्] દુઃખનો અંત [प्रयान्ति] પામશે’ [इति वासनाकृपाणींः] એ પ્રકારની વાસના અથવા વિચારરૂપી તલવાર [आदाय] લઈને [दुःखिनः अपि] દુઃખી જીવોને પણ [न हन्तव्याः] મારવા ન જોઈએ.
ટીકાઃ– ‘तु बहुदुःखासंज्ञपिताः अचिरेण दुःखविच्छित्तिम् प्रयान्ति’– એ જીવ ઘણાં દુઃખથી પીડાય છે, જો એને મારીએ તો તેમનું બધું દુઃખ નાશ પામે. ‘इति वासनाकृपाणीं आदाय दुःखिनः अपि न हन्तव्याः’– એવી ખોટી વાસનારૂપી તલવાર ગ્રહણ કરીને દુઃખી જીવોને પણ ન મારવા.
ભાવાર્થઃ– આ જીવ રોગથી અથવા ગરીબાઈ આદિથી બહુ જ દુઃખી છે, જો એને મારીએ તો તે દુઃખથી છૂટી જાય– એવી શ્રદ્ધા ન કરવી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય પુણ્યના ઉદયથી ઘણું હોય છે, માટે તેનું વેદન કરવું. અથવા જેવો તેને ઉદય છે તેવો ભોગવે છે, પોતે હિંસા કરીને પાપ શા માટે ઊપજાવવું? ૮પ.
इति तर्कमण्डलाग्रः सुखिनां घाताय नादेयः।। ८६।।