પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૭પ
અન્વયાર્થઃ– [सुखावाप्ति] ‘સુખની પ્રાપ્તિ [कृच्छे्रण] કષ્ટથી થાય છે, માટે [हताः] મારવામાં આવેલા [सुखिनः] સુખી જીવ [सुखिनः एव] સુખી જ [भवन्ति] થશે’ [इति] એમ [तर्कमण्डलाग्रः] કુતર્કનું ખડ્ગ [सुखिनां घाताय] સુખીઓના ઘાત માટે [नादेयः] અંગીકાર કરવું ન જોઈએ.
ટીકાઃ– ‘कृच्छे्रण सुखावाप्तिः’– કષ્ટથી સુખથી પ્રાપ્તિ થાય છે. ‘सुखिनः हताः सुखिनः एव भवन्ति’– તેથી સુખી જીવોને મારીએ તો તેઓ પરલોકમાં પણ સુખી જ થાય છે. ‘सुखनां घाताय इति तर्कमण्डलाग्रः न आदेयः’– સુખી જીવોના ઘાત માટે આ પ્રકારનો વિચાર કોઈએ ન કરવો.
ભાવાર્થઃ– સુખ કષ્ટથી થાય છે. માટે આ સુખી જીવને કાશીનું કરવત વગેરે પ્રકારથી મારીએ તો પરલોકમાં પણ તે સુખી થાય–એવું શ્રદ્ધાન ન કરવું. આ રીતે મરવાથી કે મારવાથી સુખી કેવી રીતે થાય? સુખી તો સત્ય ધર્મના સાધનથી થાય છે. ૮૬.
અન્વયાર્થઃ– [सुधर्मं अभिलषिता] સત્યધર્મના અભિલાષી [शिष्येण] શિષ્ય દ્વારા [भूयसः अभ्यासात्] અધિક અભ્યાસથી [उपलब्धि सुगतिसाधनसमाधिसारस्य] જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર [स्वगुरोः] પોતાના ગુરુનું [शिरः] મસ્તક [न कर्त्तनीयम्] કાપવું ન જોઈએ.
ટીકાઃ– ‘सुधर्मं अभिलषिता शिष्येण स्वगुरोः शिरं न कर्त्तनीयम्’– ધર્મને ચાહનાર શિષ્યે પોતાના ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. કેવા છે ગુરુ? ‘भूयसः अभ्यासात् उपलब्धि सुगति साधन समाधिसारस्य’– ઘણા અભ્યાસથી જેમણે સુગતિના કારણભૂત સમાધિનો સાર મેળવ્યો છે તેવા છે.
ભાવાર્થઃ– આપણા ગુરુ અભ્યાસમાં લાગી ગયા છે (ધ્યાન–સમાધિમાં મગ્ન છે), અભ્યાસ ઘણો કર્યો, હવે જો એમના પ્રાણોનો અંત કરીએ તો તે ઉચ્ચ પદને પામે– એમ વિચાર કરીને શિષ્યે પોતાના ગુરુનું મસ્તક કાપવું યોગ્ય નથી. જો તેમણે સાધન કર્યું છે તો તેઓ જ પોતાનું ફળ આગળ પામશે. તું હિંસા કરીને પાપ શા માટે ઉપજાવે છે.? ૮૭.