Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 110 of 315
PDF/HTML Page 134 of 339

 

૧૨૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अतस्तदेवात्र धर्मत्वेनाभिप्रेतं तस्यैव मुख्यतो मूलकारणभूततया स्वर्गापवर्गसाधन- सामर्थ्यसंभवात् ।।।।

સર્વ તત્ત્વોનું પ્રકાશન કરવામાં, સ્યાદ્વાદ (શ્રુતજ્ઞાન) અને કેવળજ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે, તેનાથી બીજું (જ્ઞાન) અવસ્તુરૂપ છે. તેથી તે જ (ભાવશ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન જ) ધર્મ છેએવો અભિપ્રાય છે; કારણ કે મુખ્યપણે મૂળ કારણ હોવાથી તેનામાં સ્વર્ગ અને મોક્ષના સાધનનું સામર્થ્ય છે.

ભાવાર્થ :જે વસ્તુના સ્વરૂપને, ન્યૂનતા, અધિકતા, વિપરીતતા અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે, તેને ગણધરો યા શ્રુતકેવલીઓ ‘સમ્યગ્જ્ઞાન’ કહે છે; અર્થાત્ જે વસ્તુસ્વરૂપને સંશય (સંદેહ), વિપર્યય અને અનધ્યવસાય રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યગ્જ્ઞાન કહે છે. આ પ્રમાણજ્ઞાનનું લક્ષણ છે. નિત્યઅનિત્યરૂપ, સામાન્ય વિશેષરૂપ એવું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થજ્ઞાનપ્રમાણજ્ઞાન સમ્યગ્જ્ઞાન કહે છે.

વિશેષ

આ શ્લોકની ટીકામાં સમ્યગ્જ્ઞાનને (૧) ભાવશ્રુતરૂપ જ્ઞાન, (૨) યથાભૂત અને (૩) જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળજ્ઞાનવત્ સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્યવાળું કહ્યું છે; કારણ કે

(૧) ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને, અભેદરૂપ ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન હોવાથી, તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની, કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. (શ્રી સમયસાર ગાથા ૩૧૮ની ટીકા)

(૨) યથાભૂતयाथातथ्यं’ જે વસ્તુસ્વરૂપ છે તેમ જાણે તે જ્ઞાન ભાવશ્રુતરૂપ છે.

(૩) કેવળજ્ઞાનવત્ચોથાપાંચમા ગુણસ્થાનવર્તી જીવો પણ સમ્યગ્જ્ઞાની હોવાથી, ૧.સંશય (સંદેહ)‘विरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयः’‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે’એવું જે

પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે.

વિપર્યય (વિભ્રમ) ‘विपरीतैककोटी निश्चयो विपर्ययः’વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક ‘આમ જ છે’

એવું એકરૂપ જ્ઞાન તે વિપર્યય છે.

અનધયવસાય (વિમોહ)‘किमित्यालोचनमात्रमनध्यवसायः’‘કંઈક છે’ એવો નિર્ધારરહિત વિચાર

તેનું નામ અનધ્યવસાય છે.