Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 43 prathmAnuyoganu swarup.

< Previous Page   Next Page >


Page 112 of 315
PDF/HTML Page 136 of 339

 

૧૨૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तस्य विषयभेदाद्भेदान् प्ररूपयन्नाह

प्रथमानुयोगमर्थाख्यानं चरितं पुराणमपि पुण्यम्
बोधिसमाधिनिधानं बोधति बोधः समीचीनः ।।४३।।

સાધે છે, તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ.

પ્રશ્નઃએ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?

ઉત્તરઃમોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છેસમ્યગ્ભાવ થતો નથી એ જ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે.

એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે છેજાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્જ્ઞાન બની જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂતઅપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદયઅનુદય જ કારણભૂત છે.’’ ૪૨.

તેના (સમ્યગ્જ્ઞાનના) વિષયભેદથી પ્રથમાનુયોગરૂપ ભેદનું પ્રરૂપણ કરતાં કહે છે

પ્રથમાનુયોગનું સ્વરુપ
શ્લોક ૪૩

અન્વયાર્થ :[समीचीनः बोधः ] સમ્યગ્જ્ઞાન છે તે [अर्थाख्यानम् ] જેમાં પરમાર્થરૂપ વિષયનું વ્યાખ્યાન છે એવા, [चरितं ] જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે એવા, [पुराणम् अपि ] જેમાં ત્રેસઠ શલાકાપુરુષોની કથા આવે છે એવા, [पुण्यम् ] જેને સાંભળવાથી પુણ્ય ઊપજે છે એવા અને [बोधिसमाधिनिधानम् ] જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિધાન છે એવા (અર્થાત્ તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા) [प्रथमानुयोगम् ] પ્રથમાનુયોગને [बोधति ] જાણે છે. ૧. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૪, પૃષ્ઠ ૮૮ થી ૯૦.