Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 2 pratigyA.

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૫
देशयामि समीचीनं धर्मं कर्मनिबर्हणम्
संसारदुःखतः सत्त्वान् यो धरत्युत्तमे सुखे ।।।।

‘देशयामि’ कथयामि कं ? ‘धर्मं’ कथंभूतं ? ‘समीचीनं’ अबाधितं तदनुष्ठातृणामिह परलोके चोपकारकं कथं तं तथा निश्चितवन्तो भवन्त इत्याह ‘कर्मनिबर्हणं’ यतो धर्मः संसारदुःखसम्पादककर्मणां निबर्हणो विनाशकस्ततो यथोक्तविशेषणविशिष्टः अमुमेवार्थं व्युत्पत्तिद्वारेणास्य समर्थयमानः संसारेत्याद्याह संसारे चतुर्गतिके दुःखानि शारीरमानसादीनि तेभ्यः ‘सत्त्वान्’ प्राणिन् उद्धृत्य ‘यो धरति’ स्थापयति क्व ? ‘उत्तमे सुखे’ स्वर्गापवर्गादिप्रभवे सुखे स धर्म इत्युच्यते ।।।।

(પ્રતિજ્ઞા)
શ્લોક ૨

અન્વયાર્થ :હું (શ્રી સમન્તભદ્રાચાર્ય) [कर्मनिबर्हणम् ] કર્મોનો વિનાશ કરનાર એવા [समीचीनं ] સમીચીન (સમ્યગ્) [धर्मम् ] ધર્મને [देशयामि ] કહું છું, [यः ] કે જે [सत्त्वान् ] જીવોને [संसारदुःखतः ] સંસારનાં દુઃખોથી ઉગારીને [उत्तमे सुखे ] સ્વર્ગ - મોક્ષાદિકના ઉત્તમ સુખમાં [धरति ] ધરે છે - મૂકે છે.

ટીકા :देशयामि’ કહું છું. કોને? धर्मम्’ ધર્મને. કેવા ધર્મને? समीचीनं’ અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમ જ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. તમે તે (ધર્મ) એવો છે એમ કેવી રીતે નક્કી કર્યું, તે કહે છે. कर्मनिबर्हणं’ કારણ કે તે (સમ્યગ્) ધર્મ સંસારના દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. આ જ અર્થનું વ્યુત્પત્તિ દ્વારા સમર્થન કરી કહે છે. संसारेत्यादि’ ચતુર્ગતિરૂપ સંસારમાં શારીરિક અને માનસિકાદિ દુઃખો છે, તેમાંથી सत्त्वान्’ જીવોનેપ્રાણીઓને ઉગારીને यो धरति’ જે સ્થાપે છે. ક્યાં? उत्तमे सुखे’ સ્વર્ગ - મોક્ષાદિમાં ઉત્પન્ન થતા સુખમાં, તેને ધર્મ કહેવામાં આવે છે.

ભાવાર્થ :અહીં શ્રી સમન્તભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે કેઃ

‘હું સંસારી જીવોનાં દુઃખોનાં કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યગ્ધર્મને કહું છું, જે ધર્મ ચતુર્ગતિરૂપ સંસારનાં શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવી બચાવીને ઉત્તમ સુખમાંમોક્ષસુખમાં સ્થાપે છેધારણ કરે છે. १. प्रतिपादयामि ख० घ०