૨૪૪ ]
एतदेव समर्थयमानः प्राह —
सामयिके सारम्भाः परिग्रहा नैव सन्ति सर्वेऽपि ।
चेलोपसृष्टमुनिरिव गृही तदा याति यतिभावं ।।१०२।।
सामयिके सामायिकावस्थायां । नैव सन्ति न विद्यन्ते । के ? परिग्रहाः सङ्गाः । कथंभूताः । सारम्भाः कृष्याद्यारम्भसहिताः । कति ? सर्वेऽपि बाह्याभ्यन्तराश्चेतनेतरादिरूपा वा । यत एवं ततो याति प्रतिपद्यते । कं ? यतिभावं यतित्वं । कोऽसौ ? गृही श्रावकः । કરીને એકાન્ત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા; પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા, એક શિરોનતિ કરવી આ રીતે ચારે દિશાઓમાં કરીને ખડ્ગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણ – ત્રણ આવર્તન અને એક – એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી......’’૧
(સામાયિકની વિધિ માટે જુઓ – શ્લોક ૧૩૯ની ટીકા)
એનું જ (સામાયિક કાળમાં અણુવ્રત મહાવ્રતપણાને પ્રાપ્ત થાય છે એનું જ) સમર્થન કરીને કહે છે —
અન્વયાર્થ : — [सामयिके ] સામાયિકના સમયમાં [सारम्भाः ] કૃષિ આદિ આરંભ સહિત [सर्वेऽपि ] બધાય અંતરંગ અને બહિરંગ [परिग्रहाः ] પરિગ્રહો [न एव सन्ति ] હોતા જ નથી, તેથી [तदा ] તે સમયે [गृही ] ગૃહસ્થ, [चेलोपसृष्टमुनिः इव ] વસ્ત્ર ઓઢેલા (ઉપસર્ગગ્રસ્ત) મુનિ સમાન [यतिभावम् ] મુનિભાવને (મુનિપણાને) [याति ] પ્રાપ્ત કરે છે.
ટીકા : — ‘सामयिके’ સામાયિકની અવસ્થામાં (સામાયિક કાળે) ‘नैव सन्ति’ હોતા જ નથી. શું (હોતા નથી)? ‘परिग्रहाः’ પરિગ્રહો. કેવા? ‘सारम्भाः’ કૃષિ આદિ આરંભ સહિત. કેટલા? ‘सर्वेऽपि’ બધાય અર્થાત્ ચેતન – અચેતનરૂપ બાહ્ય અને આભ્યન્તર (પરિગ્રહો). તેથી ‘याति’ પ્રાપ્ત કરે છે. શું? ‘यतिभावं’ મુનિપણાને. કોણ તે? ‘गृही’ ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૪૯નો ભાવાર્થ.