Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 234 of 315
PDF/HTML Page 258 of 339

 

૨૪૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

एतदेव समर्थयमानः प्राह

सामयिके सारम्भाः परिग्रहा नैव सन्ति सर्वेऽपि

चेलोपसृष्टमुनिरिव गृही तदा याति यतिभावं ।।१०२।।

सामयिके सामायिकावस्थायां नैव सन्ति न विद्यन्ते के ? परिग्रहाः सङ्गाः कथंभूताः सारम्भाः कृष्याद्यारम्भसहिताः कति ? सर्वेऽपि बाह्याभ्यन्तराश्चेतनेतरादिरूपा वा यत एवं ततो याति प्रतिपद्यते कं ? यतिभावं यतित्वं कोऽसौ ? गृही श्रावकः કરીને એકાન્ત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા; પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા, એક શિરોનતિ કરવી આ રીતે ચારે દિશાઓમાં કરીને ખડ્ગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણત્રણ આવર્તન અને એકએક શિરોનતિ એ જ પ્રમાણે કરવી......’’

(સામાયિકની વિધિ માટે જુઓશ્લોક ૧૩૯ની ટીકા)

એનું જ (સામાયિક કાળમાં અણુવ્રત મહાવ્રતપણાને પ્રાપ્ત થાય છે એનું જ) સમર્થન કરીને કહે છે

સામાયિક વ્રતધાારી મુનિ તુલ્ય છે
શ્લોક ૧૦૨

અન્વયાર્થ :[सामयिके ] સામાયિકના સમયમાં [सारम्भाः ] કૃષિ આદિ આરંભ સહિત [सर्वेऽपि ] બધાય અંતરંગ અને બહિરંગ [परिग्रहाः ] પરિગ્રહો [न एव सन्ति ] હોતા જ નથી, તેથી [तदा ] તે સમયે [गृही ] ગૃહસ્થ, [चेलोपसृष्टमुनिः इव ] વસ્ત્ર ઓઢેલા (ઉપસર્ગગ્રસ્ત) મુનિ સમાન [यतिभावम् ] મુનિભાવને (મુનિપણાને) [याति ] પ્રાપ્ત કરે છે.

ટીકા :सामयिके’ સામાયિકની અવસ્થામાં (સામાયિક કાળે) नैव सन्ति’ હોતા જ નથી. શું (હોતા નથી)? परिग्रहाः’ પરિગ્રહો. કેવા? सारम्भाः’ કૃષિ આદિ આરંભ સહિત. કેટલા? सर्वेऽपि’ બધાય અર્થાત્ ચેતનઅચેતનરૂપ બાહ્ય અને આભ્યન્તર (પરિગ્રહો). તેથી याति’ પ્રાપ્ત કરે છે. શું? यतिभावं’ મુનિપણાને. કોણ તે? गृही’ ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૪૯નો ભાવાર્થ.