Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 233 of 315
PDF/HTML Page 257 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૪૩

चेतव्यं वृद्धिं नेतव्यं किं ? सामायिकं कदा ? प्रतिदिवसमपि न पुनः कदाचित् पर्वदिवस एव कथं ? यथावदपि प्रतिपादितस्वरूपानतिक्रमेणैव कथंभूतेन ? अनलसेनाऽऽलस्यरहितेन उद्यतेनेत्यर्थः तथाऽवधानयुक्तेनैकाग्रचेतसा कुतस्तदित्थं परिचेतव्यं ? व्रतपंचकपरिपूरणकारणं यतः व्रतानां हिंसाविरत्यादीनां पंचकं तस्य परिपूरणत्वं महाव्रतरूपत्वं तस्य कारणं यथोक्तसामायिकानुष्ठानकाले हि अणुव्रतान्यपि महाव्रतत्वं प्रतिपद्यन्तेऽतस्तत्कारणं ।।१०१।। એકાગ્રતાથી યુક્ત શ્રાવકે [व्रतपंचकपरिपूरणकारणं ] જે પાંચ વ્રતોની પૂર્તિના કારણ છે, એવું [सामयिकम् ] સામાયિક [प्रतिदिवसं अपि ] દરરોજ પણ [यथावद् अपि ] યોગ્યવિધિ અનુસાર જ [परिचेतव्यम् ] કરવું જોઈએ.

ટીકા :चेतव्यं’ વધારવું જોઈએ. કોને? सामयिकं’ સામાયિકને. ક્યારે प्रतिदिवसमपि’ કદાચિત્ અર્થાત્ પર્વના દિવસે જ ફક્ત નહિ, પરંતુ દરરોજ (તેની વૃદ્ધિ કરવી જોઈએ). કઈ રીતે? यथावदपि’ શાસ્ત્રોક્ત સામાયિકના સ્વરૂપનું (વિધિનું) ઉલ્લંઘન કર્યા વગર જ (અર્થાત્ વિધિ પ્રમાણે). કેવાં થઈને? अनलसेन’ આલસ્ય (આળસ) રહિતતત્પર થઈને એવો અર્થ છે, તથા अवधानयुक्तेन’ ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને. શ્રાવકે શા માટે આવા સામાયિકને વધારવું જોઈએ? व्रतपञ्चकपरिपूरणकारणम्’ કારણ કે તે સામાયિક હિંસાવિરતિ આદિ પાંચ વ્રતોની પરિપૂર્ણતાનુંમહાવ્રતરૂપતાનું કારણ છે. યથોક્ત સામાયિકના અનુષ્ઠાન (આચરણ) કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છે. તેથી તે (સામાયિક) તેનું (મહાવ્રતનું) કારણ છે.

ભાવાર્થ :આળસરહિત એકાગ્રચિત્તથી શ્રાવકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ સામાયિક કરવું જોઈએ, કારણ કે વિધિપૂર્વક કરેલા સામાયિકના કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છેઅર્થાત્ અણુવ્રતો પણ ઉપચારથી મહાવ્રત થઈ જાય છે. એમ સામાયિક મહાવ્રતનું કારણ છે.

સામાયિક કાળે અણુવ્રતીને હિંસાદિ પાંચે પાપોનો, મુનિવત્ સર્વથા ત્યાગ હોય છે, તેથી તેનું અણુવ્રત મહાવ્રત સદ્રશ છે, પરંતુ સાક્ષાત્ મહાવ્રત નથી, કારણ કે મહાવ્રતનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કષાય હજુ વિદ્યમાન છે.

સામાયિક કરવાની સ્થૂળ વિધિા

‘‘......શ્રાવકે બંને સમયે (સવારસાંજ) અથવા ત્રણ સમય (સવાર, બપોર અને સાંજ) બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપોનો તથા આરંભપરિગ્રહનો ત્યાગ