Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 232 of 315
PDF/HTML Page 256 of 339

 

૨૪૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

बध्नीयादनुतिष्ठेत् किं तत् ? सामयिकं कस्यां सत्यां ? विनिवृत्त्यां कस्मात् ? व्यापारवैमनस्यात् व्यापारः कायादिचेष्टा वैमनस्यं मनोव्यग्रता चित्तकालुष्यं वा तस्माद्विनिवृत्यामपि सत्यां अन्तरात्मविनिवृत्या कृत्वा तद्बध्नीयात् अन्तरात्मनो मनोविकल्पस्य विशेषेण निवृत्या कस्मिन् सति तस्यां तया तद्बध्नीयात् ? उपवासे चैकभुक्ते वा ।।१००।।

इत्थंभूतं तत्किं कदाचित्परिचेतव्यमन्यथा चेत्यत्राह

सामयिकं प्रतिदिवसं यथावदप्यनलसेन चेतव्यं
व्रतपञ्चकपरिपूरणकारणमवधानयुक्तेन ।।१०१।।

ટીકા :बध्नीयात्’ કરવું જોઈએ. શું તે? सामयिकं’ સામાયિક. શું થતાં? विनिवृत्याम्’ નિવૃત્ત થતાં. કોનાથી? व्यापारवैमनस्यात्’ व्यापारः કાયાદિની ચેષ્ટા, वैमनस्यं’ મનની વ્યગ્રતાચિત્તની કલુષતાતેમનાથી (કાયચેષ્ટા અને મનોવ્યગ્રતાથી) નિવૃત્તિ હોવા છતાં अंतरात्मविनिवृत्या’ ખાસ કરીને (માનસિક) વિકલ્પોની નિવૃત્તિ કરીને તે (સામાયિક) કરવું જોઈએ. તે નિવૃત્તિ થતાં ક્યારે તે કરવું જોઈએ (વધારવું જોઈએ)? उपवासे चैकभुक्ते वा’ ઉપવાસના દિવસે અથવા એકાશનના દિવસે.

ભાવાર્થ :મનવચનકાયની પ્રવૃત્તિ અને મનની વ્યગ્રતાથી નિવૃત્ત થતાં, મનના વિકલ્પોને રોકી ઉપવાસ યા એકાશનના દિવસે વિશેષ રીતિથી સામાયિક કરવું જોઈએ, જેથી તેની વૃદ્ધિ થાય.

‘‘તે સામાયિક રાત્રિ અને દિવસના અંતે એકાગ્રતાપૂર્વક અવશ્ય કરવું જોઈએ અને જો અન્ય સમયે કરવામાં આવે તો તે સામાયિક કાર્ય દોષનો હેતુ નથી, પણ તે ગુણને માટે જ હોય છે.’’ ૧૦૦.

આવા પ્રકારનું સામાયિક શું ક્યારેક કરવું જોઈએ કે અન્ય રીતે? તે અહીં કહે છે

પ્રતિદિન સામાયિક કરવાનો ઉપદેશ
શ્લોક ૧૦૧

અન્વયાર્થ :[अनलसेन ] આલસ્યરહિત અને [अवधानयुक्तेन ] ચિત્તની ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૯.