આત્માને જ પોતારૂપ અનુભવતા, શુભાશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે......’’૧
શ્રી કુંદકુંદાચાર્યે ષટ્પાહુડમાં૨ (દર્શનપાહુડમાં) કહ્યું છે કે —
‘‘સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે
પુરુષો! તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી હોય? તેવા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?’’
વળી લિંગપાહુડમાં કહ્યું છે કે —
‘‘જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર – મંત્રાદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો
છે.’’ (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૮૫.)
કહ્યું છે કે —
‘‘હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટ પરિષહને ગ્રહણ કરે છે તે ઊલટી કરીને તે
જ ઊલટીને પાછો ગ્રહણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે.’’૩ ૨૪.
વળી આ મદ શું છે? તેના કેટલા પ્રકાર છે? તે કહે છે —