Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 315
PDF/HTML Page 99 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૮૫

‘आहु’र्ब्रुवन्ति कं ? ‘स्मयं’ के ते ? ‘गतस्मयाः’ नष्टमदाः जिनाः किं तत् ? ‘मानित्वं’ गर्वित्वं किं कृत्वा ? ‘अष्टावाश्रित्य’ तथा हि ज्ञानमाश्रित्य ज्ञानमदो भवति एवं पूजां कुलं जातिं बलं ऋद्धिमैश्वर्यं तपो वपुः शरीरसौन्दर्यंमाश्रित्य पूजादिमदो भवति ननु शिल्पमदस्य नवमस्य प्रसक्तेरष्टाविति संख्यानुपपन्ना इत्यप्ययुक्तं तस्य ज्ञाने एवान्तर्भावात् ।।२५।। જાતિ, [बलं ] બળશક્તિ, [ऋद्धिं ] ૠદ્ધિસંપદારાજ્યની વિભૂતિ, [तपः ] તપ અને [वपुः ] શરીર [अष्टौ ]એ આઠનો [आश्रित्य ] આશ્રય કરીને [मानित्वं ] અભિમાન કરવું તેને [गतस्मयाः ] મદ રહિત આચાર્યોએજિનોએ [स्मयं ] મદ [आहुः ] કહ્યો છે.

ટીકા :आहुः’ કહે છે. શું? स्मयं’ મદ. તેઓ કોણ (કહે છે)? गतस्मयाः’ મદ રહિત જિનો; કોને (મદ કહે છે)? मानित्वं’ અભિમાન કરવું તેને. શું કરીને? अष्टौ आश्रित्य’ આઠનો આશ્રય કરીને, જેમ કે જ્ઞાનનો આશ્રય કરી અભિમાન કરવું તે જ્ઞાનમદ છે; (તેવી રીતે પ્રતિષ્ઠામદ, કુળમદ, જાતિમદ, બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદએમ આઠ પ્રકારના મદ છે.)

શંકાઃનવમો શિલ્પમદ પણ છે, તેથી મદની આઠ સંખ્યા કહેવી તે બની શકતી નથી.

સમાધાનઃતેમ કહેવું યોગ્ય નથી, કારણ કે જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે.

ભાવાર્થ :જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, ૠદ્ધિ, તપ અને શરીર આઠના આશ્રયે અભિમાન કરવું તેને મદ કહે છે. તેના આઠ પ્રકાર છેઃ

જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ (પિતા પક્ષે), જાતિમદ (માતા પક્ષે), બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ. જ્ઞાનમદમાં શિલ્પમદ (કારીગરીનો મદ) ગર્ભિત છે. ૨૫. १. वदन्ति घ० २. नष्टमोहा घ० ३. तथा विज्ञानमाश्रित्य घ० ४. नुत्पत्तिरित्यप्युक्तं घ०