Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 26 mad karanArno dosh.

< Previous Page   Next Page >


Page 76 of 315
PDF/HTML Page 100 of 339

 

૮૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अनेनाष्टविधमदेन चेष्टमानस्य दोषं दर्शयन्नाह

स्मयेन योऽन्यानत्येति धर्मस्थान् गर्विताशयः
सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैर्विना ।।२६।।

‘स्मयेन’ उक्तप्रकारेण ‘गर्विताशयो’ दर्पितचित्तः ‘यो’ जीवः ‘धर्मस्थान’ रत्नत्रयोपेतानन्यान् ‘अत्येति’ अवधीरयति अवज्ञयातिक्रामतीत्यर्थः ‘सोऽत्येति’ अवधीरयति कं ? ‘धर्मं’ रत्नत्रयं कथंभूतं ? आत्मीयं’ जिनपतिप्रणीतं यतो धर्मो ‘धार्मिकैः’ रत्नत्रयानुष्ठायिभिर्विना न विद्यते ।।२६।।

આ આઠ પ્રકારના મદથી પ્રવૃત્તિ કરનારનો દોષ બતાવતાં કહે છે

મદ કરનારનો દોષ
શ્લોક ૨૬

અન્વયાર્થ :[गर्विताशयः ] જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ [स्मयेन ] મદથી [अन्यान् ] અન્ય [धर्मस्थान् ] ધર્માત્મા પુરુષોને [अत्येति ] તિરસ્કારે છે, [तः ] તે [आत्मीयं धर्मम् ] જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો [अत्येति ] તિરસ્કાર કરે છે, (કારણ કે) [धर्मः ] ધર્મ [धार्मिकैः बिना ] ધર્મી વિના [न ] હોતો નથી. (કારણ કે ધર્મ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી.)

ટીકા :स्मयेन’ ઉપરોક્ત પ્રકારના મદથી गर्विताशयः’ ગર્વિષ્ટ ચિત્તવાળો यः’ જે જીવ धर्मस्थान्’ રત્નત્રય યુક્ત अन्यान्’ અન્ય જીવોની અવધીરણા (તિરસ્કાર) કરે છેતેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, सः अत्येति’ તે તિરસ્કાર કરે છે. કોનો? धर्मम्’ રત્નત્રય ધર્મનો. કેવા (ધર્મનો)? आत्मीयं’ જિનેન્દ્ર દ્વારા પ્રણીત (ધર્મનો); કારણ કે धर्मः’ ધર્મ, धार्मिकैः’ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો बिना’ વિના न’ હોતો નથી.

ભાવાર્થ :જે ગર્વિત પુરુષ, ગર્વને લીધે અન્ય ધાર્મિક પુરુષોની અવગણના કરે છે, તે પોતાના રત્નત્રયરૂપ ધર્મની અવગણના કરે છે, કારણ કે ધાર્મિક પુરુષો વિના ધર્મ १. दर्पिष्ठचित्तः घ०