Samadhitantra (Gujarati). Gatha: 69.

< Previous Page   Next Page >


Page 109 of 170
PDF/HTML Page 138 of 199

 

૧૨૨સમાધિતંત્ર

यद्यात्मनः स्वरूपमात्मत्वेन बहिरात्मानो न बुद्ध्यन्ते तदा किमात्मत्वेन ते बुद्धयन्ते इत्याह

प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ
स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्ध्यः ।।६९।।

टीकातं देहामात्मानं प्रपद्यन्ते के ते ? अबुद्धयो बहिरात्मानः कया कृत्वा ? स्थितिभ्रान्त्या क्व ? देहे ? कथम्भूते देहे ? व्यूहे समूहे केषां ? अणूनां परमाणूनां किं विशिष्टानां ? प्रविशद्गलतां अनुप्रविशतां निर्गच्छतां च पुनरपि कथम्भूते ? समाकृतौ समानाकारे सदृशपरापरोत्पादेन आत्मना सहैकक्षेत्रे समानावगाहेन वा इत्थम्भूते देहे या स्थितिभ्रान्तिः स्थित्या થએલાઓને મોહસહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય છે, પણ નિશ્ચયથી તો પોતાનો રાગાદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે.’’ ૬૮.

જો બહિરાત્માઓ આત્મસ્વરૂપને આત્મપણે ન જાણતા હોય, તો તેઓ કોને આત્મપણે જાણે છે? તે કહે છેઃ

શ્લોક ૬૯

અન્વયાર્થ :(अबुद्धयः) અજ્ઞાની બહિરાત્મા જીવો, (प्रविशद् गलतां अणूनां व्यूहे देहे) પ્રવેશ કરતા અને બહાર નીકળતાએવા પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, (समाकृतौ) આત્મા અને શરીરની આકૃતિના સમાનરૂપમાં (स्थितिभ्रान्त्या) આત્મા સ્થિત હોવાથીઅર્થાત્ શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સ્થિત હોવાથીબંનેને એકરૂપ સમજવાની ભ્રાન્તિથી (तम्) તેને એટલે શરીરને (आत्मानं) આત્મા (प्रतिपद्यते) સમજી લે છે.

ટીકા :તેઓ દેહને આત્મા સમજે છે. કોણ તેઓ? બુદ્ધિ વિનાના બહિરાત્માઓ. શાથી (એમ સમજે છે)? સ્થિતિની ભ્રાન્તિથી. શામાં? દેહમાં. કેવા દેહમાં? વ્યૂહરૂપ એટલે સમૂહરૂપ (દેહમાં). કોના (સમૂહરૂપ)? અણુઓનાપરમાણુઓના (સમૂહરૂપ). કેવા પ્રકારના (પરમાણુઓના)? પ્રવેશતાગલતા અર્થાત્ પ્રવેશ કરતા અને નીકળતા (પરમાણુઓના). વળી કેવા (દેહમાં)? સમાકૃતએકબીજાના સદ્રશ ઉત્પાદથી સમાન આકારવાળા (દેહમાં)અર્થાત્ ૧. જુઓશ્રી સમયસાર ગા. ૧૬૪૧૬૫ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા.

અસ્થિર અણુનો વ્યૂહ છે સમ-આકાર શરીર,
સ્થિતિભ્રમથી મૂરખ જનો તે જ ગણે છે જીવ. ૬૯.