Samadhitantra (Gujarati). Gatha: 70.

< Previous Page   Next Page >


Page 111 of 170
PDF/HTML Page 140 of 199

 

૧૨૪સમાધિતંત્ર

गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गे नाविशेषयन्
आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।७०।।

टीकागौरौऽहं स्थूलोऽहं कृशोवाऽहमित्यनेन प्रकारेणाङ्गेन विशेषणेन अविशेषयन् विशिष्टं अकुर्वन्नात्मानं धारयेत् चित्तेऽविचलं भावयेत् नित्यं सर्वदा कथम्भूतं ? केवलज्ञप्तिविग्रहं केवलज्ञानस्वरूपं अथवा केवला रूपादिरहिता ज्ञप्तिरेवोपयोग एव विग्रहः स्वरूपं यस्य ।।७०।।

यश्चैवं विधमात्मानमेकाग्रमनसा भावयेत्तस्यैव मुक्तिर्नान्यस्येत्याह

શ્લોક ૭૦

અન્વયાર્થ :(अहं) હું (गौरः) ગોરો છું, (स्थूलः) જાડો છું, (वा कृशः) અથવા પાતળો (इति) એવી રીતે (अंगेन) શરીર સાથે (आत्मानं) આત્માને (अविशेषयन्) એકરૂપ નહિ કરતાં (नित्यं) સદા (आत्मानं) પોતાના આત્માને (केवलज्ञप्तिविग्रहम्) કેવલ જ્ઞાનરૂપ શરીરવાળો (धारयेत्) ધારવોમાનવો.

ટીકા :હું ગોરો છું, હું સ્થૂલ (જાડો) છું કે હું કૃશ (પાતળો) છુંએવા પ્રકારે શરીર વડે આત્માને, વિશેષરૂપે એટલે વિશિષ્ટરૂપે નહિ માની (તેને) ધારવો અર્થાત્ ચિત્તમાં તેને નિત્યસર્વદા અવિચલપણે ભાવવો. કેવા (આત્માને)? કેવલ જ્ઞાનવિગ્રહરૂપ એટલે કેવલ જ્ઞાનસ્વરૂપ અર્થાત્ કેવલ રૂપાદિરહિત જ્ઞપ્તિ જઉપયોગ જ જેનું વિગ્રહ એટલે સ્વરૂપ છે તેવા આત્માને (ચિત્તમાં ધારવો).

ભાવાર્થ :ગોરાપણું, સ્થૂલપણું, કૃશપણું વગેરે અવસ્થાઓ શરીરની છેપુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ નહિ માનવો અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ નહિ માનવું. તેને શરીરથી ભિન્ન, રૂપાદિરહિત અને કેવલ જ્ઞાનસ્વરૂપ જ સમજવો અને તે સ્વરૂપે જ તેનું નિરંતર ચિત્તમાં ધ્યાન કરવું. ૭૦.

જે એવા પ્રકારના આત્માની એકાગ્ર મનથી ભાવના કરે તેને જ મુક્તિ હોય છે. બીજા કોઈને નહિતે કહે છેઃ

हउँ गोरउ हउँ सांभलउ हउँ जि वभिण्णउ वण्णु
हउँ तणु अंगउँ थूलु हउँ एहउँ मुढउ मण्णु ।।८०।।(श्री परमात्मप्रकाशेयोगीन्द्रदेवः)
હું ગોરો કૃશ સ્થૂલ ના, એ સૌ છે તનભાવ,
એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦.