Samadhitantra (Gujarati). Gatha: 86.

< Previous Page   Next Page >


Page 133 of 170
PDF/HTML Page 162 of 199

 

૧૪૬સમાધિતંત્ર

तस्य चोत्प्रेक्षाजालस्य नाशं कुर्वाणोऽनेन क्रमेण कुर्यादित्याह
अव्रती व्रतमादाब व्रती ज्ञानपरायणः
परात्मज्ञानसम्पन्नः स्वयमेव परो भवेत् ।।८६।।

‘‘આત્માને આત્મા વડે બે પુણ્યપાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થઈ અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમી (અટકી) જે આત્મા (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છેકર્મ અને નોકર્મને ધ્યાતો નથી, પોતે ચેતયિતા (દેખનારજાણનાર) હોવાથી એકત્વને જ ચિંતવે છેચેતે છેઅનુભવે છે, તે આત્મા આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.’’

‘‘.....વસ્તુસ્વરૂપને જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી; એનું નામ જ ચિત્તનો નિરોધ. આ સિવાય ‘હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું’ એવી નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ‘હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું’ એમ અસ્તિત્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગનાવિકલ્પનો અભાવ થઈ જાય છે; માટે પહેલાં વસ્તુના સ્વભાવને બધાં પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ.

જ્યાં શ્રુતજ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્યપિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે.’’ ૮૫.

તે ઉત્પ્રેક્ષાજાલનો નાશ કરનારે આ ક્રમથી કરવુંતે કહે છેઃ

શ્લોક ૮૬

અન્વયાર્થ :(अव्रती) હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે (व्रतं आदाय)અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા (व्रती) અહિંસાદિક વ્રતોના ધારકે (ज्ञानपरायणः) જ્ઞાનસ્વભાવમાં લીન થઈ વ્રતાવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો અને પછી અરહંતઅવસ્થામાં (परात्मज्ञानसम्पन्नः) કેવળજ્ઞાનથી યુક્ત ૧. શ્રી સમયસારગુ. આવૃત્તિગાથા ૧૮૭, ૧૮૮, ૧૮૯. ૨. નયપ્રજ્ઞાપનપૃ. ૮, ૨૩.

અવ્રતિ-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય;
પરમ-જ્ઞાનને પામીને સ્વયં ‘પરમ’ થઈ જાય. ૮૬